SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રતિપાદન કરવામાં આત્મશ્રેય માન્યું છે, તે અભિપ્રાયો સરળતાપૂર્વક અને વસ્તુરૂપે જણાવવા. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ પોતાના ‘ષગ્દર્શનસમુચ્ચય' નામક ગ્રંથમાં જુદાં જુદાં છ દર્શનોનું સ્વરૂપ બતાવતાં જેમ પ્રત્યેક દર્શનનાં પ્રતિનિધિ (વકીલ) તરીકે નિષ્પક્ષપાતબુદ્ધિ રાખી છે; તેમ શ્રીમાન્ રાજચંદ્રે પણ પ્રત્યેક ધર્મમતનું સ્વરૂપ બતાવતાં તેનાં પ્રતિનિધિ તરીકે કામ લીધું છે. વિશેષમાં તેઓએ વર્તમાન સમયને અનુકૂળ ગણાય એવી એક શૈલી એ રાખી છે કે, કયો અભિપ્રાય કયા ધર્મનો છે એમ અગોપ્યપણે બતાવ્યું નથી; કેમકે ચોક્કસ મતનો ફલાણો મત છે અને તે અયોગ્ય છે એમ બતાવવામાં આવે, તો તે મતના અનુયાયીને ગ્રંથકારને પોતાના અભિપ્રાય પર આગ્રહ છે એમ લાગી આવી, તેનો સ્વીકાર કરવાનું મન થતું નથી; એટલું જ નહીં પણ ગ્રંથકાર પક્ષપાતી લાગે છે. આવું ન થાય તે માટે ગ્રંથકારે અતિશય કાળજી રાખી છે.'૧ અસાધારણ ક્ષયોપશમશક્તિથી સંપન્ન શ્રીમદે તેર વર્ષની વયથી જ ષડ્દર્શન ઉપર પરમ ગંભીર તત્ત્વવિચારણા કરી હતી. કયું દર્શન તત્ત્વના સત્ય પરમાર્થસ્વરૂપને યથાર્થપણે દર્શાવે છે તેમજ આત્મસાક્ષાત્કારરૂપ તત્ત્વદર્શન પમાડવાને કયો ધર્મ પરિપૂર્ણ સમર્થ છે તેની, મતાગ્રહપૂર્વકની દૃષ્ટિથી નહીં પણ સ×હણની દૃષ્ટિથી મધ્યસ્થ પરીક્ષા કરવા, સત્યતત્ત્વની ગવેષણા કરનારા નિષ્પક્ષપાત ન્યાયને અનુસરનારા શ્રીમદે તેરથી સોળ વર્ષની ઉંમર સુધીના ધર્મમંથનકાળમાં ષડ્દર્શનની પર્યાલોચના કરી હતી. અલ્પ સમયમાં તેમણે ષડ્દર્શનનું સ્વરૂપ દર્શાવનારા ઉપલબ્ધ ગ્રંથોનું ઊંડું અવગાહન કરીને ષડ્દર્શનની તુલનાત્મક પરીક્ષા કરી હતી. પરમ પ્રજ્ઞાતિશયસંપન્ન શ્રીમદ્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિના પરીક્ષાપ્રધાની હોવાથી તેમણે ષડ્દર્શનને કસોટીએ ચઢાવ્યાં હતાં, તેનાં તત્ત્વોને ન્યાયના કાંટે તોલ્યાં હતાં. આ તત્ત્વમંથનના ફળરૂપે તેમને જૈન દર્શનનું પૂર્વાપર અવિરુદ્ધપણું, અવિસંવાદીપણું સુપ્રતીત થયું હતું. કોઈ પણ પ્રકારના આગ્રહ વિના અત્યંત પ્રામાણિકતાથી કેવળ શુદ્ધ તત્ત્વગવેષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં જૈન દર્શન જ પરિપૂર્ણ સત્ય છે એવો તેમને નિર્ણય થયો હતો. ષડ્દર્શનની તત્ત્વમીમાંસા જેમ જેમ સૂક્ષ્મતર બનતી ગઈ, તેમ તેમ જૈન દર્શનની પ્રમાણભૂતતા અંગેનો નિશ્ચય ઉત્તરોત્તર દઢ થતો ગયો હતો. શ્રીમદ્દ્ની આ ષડ્દર્શનમીમાંસા અને જૈન દર્શનની ઉત્કૃષ્ટતાનો નિશ્ચય કેવો ઉત્કૃષ્ટ કોટિનો હતો તેની સાક્ષી તેમના હૃદયદર્પણ સમી હાથનોંધો અને તેમના પત્રો પૂરે છે. હાથનોંધ ૧-૩૫માં આત્મા સંબંધી નિત્ય, અનિત્ય, પરિણામી, અપરિણામી, સાક્ષી, સાક્ષીકર્તા એ મુદ્દા અંગે વેદાંત, જૈન, સાંખ્ય, યોગ, નૈયાયિક, બૌદ્ધની શી ૧- શ્રી મનસુખભાઈ ૨વજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ’, પ્રસ્તાવના, પૃ.૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy