SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૨ મેળવીને વસ્તુનું નિરૂપણ તે વ્યવહારનય. જુદા જુદા શાસ્ત્રકારોએ નિશ્ચયનય તથા વ્યવહારનય સંબંધી જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. નિશ્ચય એટલે યથાર્થ, સત્યાર્થ. નિશ્ચયનય ભૂતાર્થ છે, કેમ કે તે વસ્તુસ્વરૂપનું સાચું નિરૂપણ કરે છે. વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર, સત્ય નિરૂપણ કરનાર નિશ્ચયનય છે. વસ્તુની યથાવત્ પ્રરૂપણા કરે તેનું નામ નિશ્ચયનય છે. નિશ્ચયનય વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું નિરૂપણ કરે છે. કોઈ પણ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરે તે નિશ્ચયનય છે. જે દ્રવ્યની જે પરિણતિ હોય તે પરિણતિને તે દ્રવ્યની જ કહેવી તે નિશ્ચયનય છે. નિશ્ચયનય જે દ્રવ્યની જે ભાવપરિણિત હોય તેને તે જ દ્રવ્યની કહે છે. નિશ્ચયનય વસ્તુનું ખરેખર જે સ્વરૂપ છે તેનું નિરૂપણ કરે છે અને કોઈને કોઈમાં ભેળવતો નથી. જે સ્વદ્રવ્ય-પરદ્રવ્યનું અથવા તેના ભાવોનું અથવા કારણકાર્યાદિનું જેમ છે તેમ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તે નિશ્ચયનય છે. અભેદ અને અનુપચાર રૂપથી વસ્તુનો નિશ્ચય કરવો તે નિશ્ચયનય છે. નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે. તેની દૃષ્ટિ અસંયોગી તત્ત્વ પર હોય છે. તે પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર કથન કરે છે. તેનું કથન સ્વાશ્રિત હોય છે. પોતાના ગુણધર્મોથી થતી ઓળખાણ તે નિશ્ચયનય છે. નિશ્ચયનય વડે જે નિરૂપણ થયું હોય તેને સાચું સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવા યોગ્ય છે. તેને સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. જ્યાં નિશ્ચયનયનું કથન હોય, ત્યાં સત્યાર્થ એમ જ છે' એમ જાણવા યોગ્ય છે. તેનું કાર્ય પરથી ભિન્નત્વ અને નિજમાં અભિન્નત્વ સ્થાપિત કરવાનું છે. Jain Education International ૧૨૧ - વ્યવહાર એટલે ઉપચાર, વ્યવહાર અભૂતાર્થ છે, કેમ કે તે સત્ય સ્વરૂપનું નિરૂપણ કરતો નથી. વ્યવહારનયનું લક્ષ વસ્તુના સત્યસ્વરૂપનું દર્શન કરવાને બદલે નિમિત્તોની અપેક્ષાએ તેનું દર્શન કરવાનું છે, અર્થાત્ તે વસ્તુના વ્યાવહારિક સ્વરૂપનું દર્શન કરે છે. વ્યવહારનય સત્ય સ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ (ઉપચારથી) અન્યથા નિરૂપે છે. ઉપચરિત નિરૂપણને વ્યવહારનય કહે છે. દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવરૂપે નિરૂપણ કરે તે વ્યવહારનય છે. એક દ્રવ્યની પરિણતિને અન્ય દ્રવ્યની પ્રરૂપે તે વ્યવહારનય છે. વ્યવહારનય નિમિત્તાદિની અપેક્ષા લઈને એક દ્રવ્યના ભાવ અથવા પરિણતિને અન્ય દ્રવ્યની કહે છે. તે અનેક દ્રવ્યના અનેક ભાવો-કારણકાર્યાદિને મેળવીને કથન કરે છે. સ્વદ્રવ્ય-પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણકાર્યાદિને અથવા કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે તે વ્યવહારનય છે. વ્યવહારનયથી નિમિત્તાદિની અપેક્ષાએ એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તાદિ કહેવામાં આવે છે. વસ્તુમાં ભેદ પાડીને અથવા બીજામાં મિલાવટ કરીને જે નિરૂપણ કરવામાં આવે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy