SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપચારથી જે નિરૂપણ કરવામાં આવે તે વ્યવહારનય છે. ભેદ અને ઉપચારથી વસ્તુનો વ્યવહાર કરવો તે વ્યવહારનય છે. તેનો વિષય ભેદરૂપે હોવાથી તે અનેક પ્રકારે છે. તે અનેક પ્રકારના ભેદ કરીને વસ્તુને સમજાવે છે. તેનો વિષય સંયોગી કથન કરે છે. તેનું કથન પરાશ્રિત હોય છે. પરાશ્રિત ઓળખાણ તે વ્યવહારનય છે. વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને ઉપચરિત, અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું યોગ્ય છે. જ્યાં વ્યવહારનયથી કથન હોય, તેને ‘ખરેખર એમ નથી પણ નિમિત્તાદિ પરસંયોગનું જ્ઞાન કરાવવા આ કથન કર્યું છે' એમ માનવા યોગ્ય છે. વ્યવહારને ઉપચારમાત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરવો યોગ્ય છે. પણ નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યાર્થ માની વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે અકાર્યકારી થાય છે. વ્યવહારનય અસત્યાર્થ છે, પરંતુ તે સર્વથા અસત્યાર્થ નથી. ઘડામાં પાણી છે પણ દૂધ નથી એમ વ્યવહારનય બતાવે છે. એ અપેક્ષાએ તે સત્ય છે. વ્યવહારનયનો જિનવાણીમાં સ્વીકાર છે, કારણ કે તે પરસંયોગને જેમ છે તેમ બતાવે છે. વ્યવહારનય પરસંયોગની અપેક્ષાએ સત્ય છે, પરંતુ તેનું આરોપણ ‘સ્વ'ની ઓળખાણ માટે થાય ત્યાં તેને અસત્યાર્થ કહ્યો છે. આમ, વ્યવહારનયનો સ્વીકાર પણ છે અને નિષેધ પણ છે. તેનું કાર્ય નિજમાં ભેદ અને પરથી અભેદ કરીને સમજાવવાનું છે. તેનું કાર્ય અભેદ વસ્તુને ભેદ કરીને સમજાવવાનું, સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અને તેના નિમિત્તે થતા સંયોગી ભાવોનું જ્ઞાન કરાવવાનું છે. નિશ્ચયનય અને વ્યવહારનયનાં સ્વરૂપનો સાર આ પ્રમાણે છે – નિશ્ચય વ્યવહાર છ 8 0 0 0 0 ^ ૨ જ યથાર્થ સત્યાર્થ ભૂતાર્થ ખરેખરું સ્વરૂપ સાચું નિરૂપણ પોતાના ભાવને પોતાનો કહેવો અભેદ સ્વદ્રવ્યાશ્રિત સ્વલક્ષી ભાવ સ્વાભાવિક ભાવ ધ્રુવ ભાવ ત્રિકાળ ટકે એવો ભાવ અયથાર્થ અસત્યાર્થ અભૂતાર્થ કથનમાત્ર સ્વરૂપ ઉપચરિત નિરૂપણ બીજાના ભાવને પોતાનો કહેવો ભેદ સંયોગાશ્રિત પરલક્ષી ભાવ નિમિત્તાધીન ભાવ ઉત્પન્ન ધ્વસીભાવ ક્ષણમાત્ર ટકે એવો ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy