SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ષગ્દર્શનપરિચય ૫૨૯ જૈન દર્શન હાથીમાં બળ ધર્મ રહેલો છે. પણ બળવાન હાથી ઉપર સિંહ જ્યારે ચડી બેસે છે ત્યારે કેવો અસહાય બની જાય છે! આથી હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હોત તો તે સિંહને દૂર ફેંકી શકત, એટલે કે હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણીઓની અપેક્ષાએ બળવાનપણું છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે. અહીં જે ‘અપેક્ષા' શબ્દનો પ્રયોગ થયો છે તે ખૂબ મહત્ત્વનો છે. અપેક્ષાભેદથી વસ્તુમાં તે તે ધર્મ છે અને અપેક્ષાભેદથી તે તે ધર્મનો અભાવ પણ છે. અનેકાંતનો મહેલ અપેક્ષાભેદના સ્તંભ ઉપર જ ટકી રહ્યો છે. અનેકાંતવાદ એ જૈન ધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. કોઈ પણ વસ્તુના અનેક અંત, એટલે, કે અનેક ગુણધર્મ હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને બરાબર તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈ પણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ વગેરેને વિવિધ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોના આધારે અને ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવાં તત્ત્વોનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંત. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંત. વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવાની કથનપદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. સ્યાદ્ + વાદ = કોઈ અપેક્ષાથી કથન કરવું. ‘સ્યાત્’ શબ્દ વાક્યની અસત્યતા કે સંદિગ્ધતાનો બોધ કરાવતો નથી, પણ તેની સાપેક્ષતા સૂચવે છે. અનેકાંત એ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને અમલમાં કથનમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત એમ સૂચવે છે કે વિશ્વના સ્વરૂપને અનેક દૃષ્ટિબિંદુઓથી જોઈ શકાય છે અને પ્રત્યેક દૃષ્ટિબિંદુ જુદું જુદું પરિણામ તારવી આપે છે. સત્તત્ત્વનું સ્વરૂપ ફક્ત એક દૃષ્ટિબિંદુ દ્વારા સંપૂર્ણપણે પ્રતિપાદિત થઈ શકતું નથી, કેમ કે તેની વાસ્તવિક શક્તિઓની વિપુલતાના કારણે બધાં જ વિશેષણો કે વિધાનોને તે પોતામાં સમાવી શકે છે. આથી સત્તત્ત્વના સ્વરૂપને લગતું પ્રત્યેક વિધાન સાચી રીતે જોતાં મર્યાદિત જ છે, અર્થાત્ પ્રત્યેક વિધાન તેના સ્વરૂપનો મર્યાદિત ખ્યાલ જ આપે છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત એ જૈન દર્શનનું વિશ્વસંસ્કૃતિને એક વિશિષ્ટ પ્રદાન છે. વિશ્લેષણાત્મક દૃષ્ટિબિંદુથી સત્ય તરફ ગતિ થઈ શકે છે. આવા દૃષ્ટિબિંદુઓનું સંકલન જ્ઞાનમાં સુમેળ લાવી શકે તે સ્પષ્ટ સમજાય છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત આવું સુમેળભર્યું સંકલન કરે છે. સંપૂર્ણ જ્ઞાન માત્ર સર્વજ્ઞત્વ દ્વારા જ પ્રાપ્ત થાય છે. પદાર્થનું સતત રૂપાંતર થતું રહે છે અને સંપૂર્ણ સત્યને પૂર્ણપણે ગ્રહણ કરવામાં મનુષ્યની બુદ્ધિ સમર્થ નથી, તેથી આ સિદ્ધાંતની જરૂરિયાત ઊભી થઈ છે. જે જોવામાં આવે છે, જે જાણવામાં આવે છે, તેને વાણીમાં વ્યક્ત કરવા માટે સ્યાદ્વાદની જરૂર પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy