SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૦ ૭૫ આત્માનો અનુભવ કરવાનું કાર્ય મુશ્કેલ માનવું એ જીવની અરુચિનું ઘાતક છે. પરમાર્થની અરુચિના કારણે જીવ તે કાર્યને દુર્ગમ માને છે. પરમાર્થની રૂચિ હોય તો પુરુષાર્થ સરળ લાગે છે અને ન હોય તો કઠિન લાગે છે. પરમાં રુચિ રહે ત્યાં સુધી અઘરું મનાય છે અને સ્વની રુચિ થતાં સહેલું મનાય છે. રુચિ ન હોવાથી જીવ ચાલાકીઓ કરે છે. પરમાર્થની રુચિ જાગતાં જ તે કોઈ બહાનાં કાઢતો નથી. જેને પરમાર્થની ઇચ્છા જાગે છે તે જીવને પુરુષાર્થ ઉપાડવો કઠિન લાગતો નથી. આ અનાદિકાલીન મિથ્યાત્વને કેવી રીતે તોડી શકીશ? ભગવાન આત્માનો અનુભવ કેવી રીતે કરી શકીશ?' ઇત્યાદિ પામરતાના વિચારો, કાયરતાના વિકલ્પો તેને આવતા નથી. ‘આ કાર્ય સરળ છે અને મારે તે કરવું જ છે' એવો તેનો નિર્ણય હોય છે. તે આત્માના અચિંત્ય સામર્થ્યનો ભરોસો લાવી પોતાની પરિણતિમાં બળ પ્રગટાવે છે. તે આત્માનો મહિમા લાવી ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે. તેનો ઉપયોગ પરમાંથી હટી સ્વમાં ઢળવા લાગે છે અને કોઈ ધન્ય પળે તે પોતાના આત્માનો અનુભવ કરી લે છે. જ્યાં પરમાર્થની આવી પ્રબળ ઇચ્છા હોય ત્યાં આત્માનો અનુભવ થાય છે. આત્માનો અનુભવ કઠિન નથી, તે અવશ્ય કરી શકાય છે. જો તિર્યંચના દેહમાં રહેલ જીવ આત્માનો અનુભવ કરી શકે છે, તો મનુષ્યદેહમાં રહેલ જીવ કેમ આત્માનો અનુભવ ન કરી શકે? જ્યારે પૂછવાળા પશુ કરી શકે છે તો શું મૂંછવાળા મનુષ્ય તે ન કરી શકે? જરૂર કરી શકે. તે માટે અંતરની લગની જોઈએ, નિષ્ઠા જોઈએ. તીવ્ર રુચિ હોય ત્યાં કંઈ જ અસંભવિત નથી. (૮) સમયના અભાવનું બહાનું વળી, કેટલાક જીવો સમયનું બહાનું દર્શાવે છે. સપુરુષાર્થ કરવા માટે પોતાને સમય મળતો નથી એવું બહાનું તે કાઢે છે. પુરુષાર્થથી બચવા તે કહે છે કે “સાધના કરવા માટે મારી પાસે સમય ક્યાં છે? સાધનાની વાત એ સારી વાત છે, સાચી વાત છે, કરવા જેવી છે, કરવી પણ છે; પણ અત્યારે હું તે માટે સમય આપી શકું એમ નથી.' “મારે કેટલાં બધાં કામ કરવાનાં પડ્યાં છે. સાધના માટે સમય કાઢવો તો અશક્ય છે.' ‘ભવિષ્યમાં જ્યારે સમય હશે ત્યારે સાધના કરીશ. નિવૃત્ત થઈશ ત્યારે જરૂર કરીશ, પણ હાલ તો ફરજો બજાવવાની છે, માટે હું ખૂબ દિલગીરીપૂર્વક સાધના મોકૂફ રાખું છું.’ ‘સાધનાની ઉપયોગિતા હું બરાબર સમજી ગયો છું અને આગળ ઉપર હું સૌથી પહેલું કામ આ જ કરીશ.' અત્યારે હું મારી બહોળી સાંસારિક જવાબદારીઓના કારણે સાધના કરી શકું એમ નથી, પણ મોક્ષની મને તીવ્ર ઉત્કંઠા છે.' આવા જીવને છૂટવાની સાચી અભિલાષા જાગી નથી, સાધનાની સાચી રુચિ થઈ નથી, પણ તે એવું બતાવે છે કે “મને રુચિ તો બહુ છે, પણ સમય નથી.' શું એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy