________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ધર્મક્રિયાઓ કરવી તપ, ત્યાગ, સંયમાદિ સ્વરૂપલક્ષે કરવાં એ જિનાજ્ઞા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે
૯૪
-
‘ચરિત ભણિ બહુલોકમાંજી, ભરતાદિકનાં જેહ; લોપે શુભ વ્યવહારનેજી, બોધિ હણે નિજ તેહ.
બહુ દલ દીસે જીવનાંજી, વ્યવહારે શિવયોગ; છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ.૧
(૨) એકાંત નિશ્ચયવાદીઓ એવી દલીલ પણ કરે છે કે શુભ ક્રિયાઓ શુભ ભાવની જનેતા છે અને શુભ ભાવ હેય છે, એટલે શુભ ક્રિયાઓ પણ હેય છે.
Jain Education International
જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણાદિ શુભ ક્રિયાઓથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે અને એ શુભ ભાવ આત્મગુણોને પ્રગટ કરવામાં લેશમાત્ર પણ સહાયક નથી, તેનાથી આત્માની વિભાવદશા લેશમાત્ર પણ ટળી શકતી નથી. તે માત્ર બંધનું જ કારણ બને છે. શુભ ભાવના કારણે પુણ્યબંધ થાય છે અને તે પુણ્યબંધ જીવને સંસારમાં રઝળાવે છે. પુણ્યબંધ પણ પાપબંધની માફક હેય છે, માટે પુણ્યબંધમાં કારણભૂત એવી દાનાદિ સઘળી ક્રિયાઓ છોડવા યોગ્ય છે. જે ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તે આત્મહિતકારી કેવી રીતે હોઈ શકે? જપ, તપ, શીલ, સંયમ, પૂજા, ભક્તિ, સેવા આદિ સર્વ ધાર્મિક ક્રિયાઓ તજવા યોગ્ય છે.
આત્માના ત્રણ ભાવ છે. શુદ્ધ ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ. પહેલો ભાવ ઉપાદેય છે અને પછીના બે ભાવ હેય છે. પહેલો ભાવ એ આત્માની સ્વાભાવિક સ્થિતિ છે અને બાકીના બે ભાવ આત્માની વૈભાવિક સ્થિતિ છે. પિતા, પુત્ર, પરિવાર આદિ ઉપરનો રાગ તે અશુભ રાગ છે અને દેવ, ગુરુ ઉપરનો રાગ તેમજ મહાવ્રત આદિ ધર્મ ઉપરનો રાગ તે શુભ રાગ છે. અશુભ રાગ જેમ આત્માને નુકસાન કરનાર છે, તેમ શુભ રાગ પણ આત્મા માટે ઝેરસ્વરૂપ છે. જેમ અશુભ રાગ આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવામાં લેશમાત્ર પણ સહાયક નથી, તેમ શુભ રાગ પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવામાં લેશમાત્ર પણ સહાયક નથી. ભોગાદિ ક્રિયાથી થતા અશુભ ભાવથી જેમ કોઈ આત્મલાભ નથી થતો, તેમ દેવપૂજા આદિથી થતા શુભ ભાવથી પણ કોઈ આત્મલાભ નથી થતો. જેઓ એમ માને છે કે દેવ, ગુરુ અને ધર્મ ઉપરનો રાગ એ આત્માના અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવામાં કારણભૂત છે તેઓ મહામિથ્યાત્વી છે અને આત્માના સચ્ચિદાનંદસ્વરૂપની અવગણના કરનારા છે. જેઓ આત્મપ્રાપ્તિ અર્થે શુભ રાગમાં જોડાવા દેવ-ગુરુનું અવલંબન લે છે, તેઓ ભૂલ કરે છે; કારણ કે દેવ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સવાસો ગાથાનું સ્તવન', ઢાળ પ, કડી ૬૧,૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org