SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૧ ૯૩ માર્ગનો જ હોય છે અને તેથી જ તેમનો માર્ગ ઉન્માર્ગ ન બનતાં મોક્ષમાર્ગ બને છે. ચક્રવતી ભરત, રાજર્ષિ પૃથ્વીચંદ્ર, શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર વગેરેને ગૃહત્યાગ વિના જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું એ વાત સંપૂર્ણ રીતે શાસ્ત્રીય છે, છતાં એવું તો કદાચિત્ અને કોઈકને જ બને. આખી અવસર્પિણીમાં એવાં ઉદાહરણ કેટલાં? એટલે એ માર્ગ રાજમાર્ગ ન ગણાય. વળી, ઉપરોક્ત દૃષ્ટાંતોમાં કોઈને પણ તપ-ત્યાગની ભાવનાનો અભાવ ન હતો, તેઓ સર્વ ગૃહવાસના ભોગવિલાસથી પીડા અનુભવતા હતા અને સર્વસંગપરિત્યાગની ભાવનાવાળા હતા. અનંતા આત્માઓ બાહ્યાભ્યતર સંગત્યાગરૂપ વિરતિના રાજમાર્ગેથી પસાર થઈને મોક્ષપદ પામ્યા છે, જ્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જૂજ આત્માઓ બાહ્ય સંગ ત્યાગ્યા વિના, રાગભાવને ટાળીને મુક્તિપદ પામ્યા છે; અને અનંતાનંત આત્માઓ ધર્મશ્રવણ કરીને પણ બાહ્ય સંગ ન ત્યાગવાના કારણે રાગભાવ ટાળી ન શક્યા અને તેથી તેઓ સંસારમાં રખડે છે. કેવળી ભગવંતોની નજર સામે આ પરિસ્થિતિ હોવાથી તેમણે મુક્તિના માર્ગ તરીકે બાહ્યાભંતર સંગત્યાગરૂપ વિરતિમાર્ગને - પ્રતિજ્ઞાપૂર્વક કરેલા સાવદ્ય વ્યાપારના ત્યાગને રાજમાર્ગ કહ્યો છે. રાજર્ષિ પ્રસન્નચંદ્ર સાધુવેષ છતાં સાતમી નરકના દળિયાં લીધાં, તે રાજર્ષિને બીજી જ પળે કેવળજ્ઞાન શાથી થયું એ વાત પ્રત્યે લક્ષ આપવાની જરૂર છે. માથેથી મુગટ ઉપાડવા માટે મસ્તકે હાથ ફેરવ્યો અને તે જ વખતે કેશલોચવાળા માથાનો સ્પર્શ થયો, પશ્ચાત્તાપ થયો, શુક્લધ્યાનની શ્રેણીએ ચડ્યા અને કેવળજ્ઞાન પ્રગટ્યું. રાજાના વેષમાં હોત તો લોચ કરેલું માથું ન હોત અને તેથી તેમને સાચો લક્ષ પણ ન આવત અને કેવળજ્ઞાન પણ પ્રગટ ન થાત. આમ, બાહ્ય ત્યાગ ભાવશુદ્ધિમાં સહાયક નીવડે છે, તેથી બાહ્ય ત્યાગ આવશ્યક છે. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં કેટલાક ભાગરુચિ જીવડાઓ એમ કહે છે કે ‘બાહ્ય સંગ ટાગ્યા વિના પણ ભરત વગેરે મુક્તિપદ પામ્યા છે, માટે મહાવ્રતપ્રતિજ્ઞારૂપ સર્વવિરતિ કે અણુવ્રતપ્રતિજ્ઞારૂપ દેશવિરતિની શી જરૂર છે? સંસારમાં રહીને પણ જો રાગનો નાશ થઈ શકે છે તો તેમ જ કેમ ન કરવું?' આવા અભિપ્રાયો અંતરમાં પડેલી ભોગીલાલસાના કારણે જ ઉચ્ચારવામાં આવે છે. અનેક બાહ્ય સંગીઓમાંથી બે-પાંચને મુક્તિ મળી, બાકીના બધા ડૂબી ગયા, છતાં એ બે-પાંચનો - એ ભવ્યાત્માઓનો દાખલો લઈને, પાત્રતા વિનાના અનેક જીવો ડૂબી ગયા અને અનેક ડૂબે છે એ તરફ લક્ષ ન આપતાં, સંસારમાં રહીને તરવાની વાતો તેઓ કરે છે! ભલે અનેક જીવો ઝેર ખાઈને મર્યા, પણ બે-પાંચ તો બચ્યા છે - એમ ખોટી રીતે દાખલો લઈને કોઈ ઝેર ખાવા તૈયાર થાય છે? તેથી આત્માર્થી જીવે તો દૃઢ નિશ્ચય કરવો કે સ્વરૂપલક્ષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy