SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્જન કરે છે. વળી, તે મનુષ્યને પોતપોતાનાં કર્મ અનુસાર ફળ પણ આપે છે. ન્યાયમત પ્રમાણે ઈશ્વરની અધ્યક્ષતામાં અદૃષ્ટ (પોતપોતાનાં કર્મ અનુસાર ફળ મળવું એ પ્રક્રિયાને અદૃષ્ટ કહેવાય છે) ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતો, પણ ફક્ત એનું સંચાલન કરે છે. ઈશ્વરના અસ્તિત્વ અંગે ન્યાય દર્શનમાં અનેક તર્કયુક્ત દલીલો રજૂ કરવામાં આવી છે. શ્રી ઉદયનાચાર્યે તેમની કૃતિ ‘ન્યાયકુસુમાંજલિ'માં ઈશ્વરના અસ્તિત્વ અંગે કરેલી મહત્ત્વની દલીલો જોઈએ – ૧) બ્રહ્માંડવિષયક દલીલ તથા કાર્ય-કારણમૂલક દલીલ આ દલીલમાં કાર્ય-કારણના નિયમના આધારે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. જગતની સર્વ ક્રિયાઓ ક્રમબદ્ધ અને વ્યવસ્થિતપણે ચાલે છે, જે જગનિયંતાને આભારી છે. ઘડાનો સર્જક જેમ કુંભાર છે, તેમ સમગ્ર જગતનો પણ કોઈ સર્જક હોવો જોઈએ અને તે સર્વજ્ઞ ઈશ્વર છે. પરમાણુઓ સ્વયં નિષ્ક્રિય હોવાથી તે સ્વતંત્રપણે એકબીજા સાથે જોડાઈ શકતાં નથી. તેને ગતિ પ્રદાન કરવા માટે ઈશ્વર તત્ત્વની જરૂર રહે છે. ઈશ્વરની ઇચ્છાથી જ સૃષ્ટિના સર્જન અને પ્રલય થાય છે. ૨) પ્રયોજન ઉપર આધારિત દલીલ જગત નિર્દેતુક નથી. તે કોઈ વસ્તુ કે વિષય પ્રતિ નિર્દેશ કરે છે અને જે શબ્દો દ્વારા તે નિર્દેશ થાય, તે શબ્દોમાં રહેલી જે અર્થશક્તિ છે તે પણ ઈશ્વર દ્વારા જ આવે છે. ઈશ્વર શબ્દનો અર્થ આપે છે. કપડાં વણવાં વગેરે કલાઓ પણ ગુરુશિષ્ય પરંપરાથી ચાલી આવે છે અને તેનો સર્વ પ્રથમ આવિષ્કાર પણ ઈશ્વર દ્વારા જ થયો છે એમ નૈયાયિકો માને છે. ૩) નૈતિક વ્યવસ્થા ઉપર આધારિત દલીલ ઈશ્વર નૈતિક નિયમોનો સ્થાપક છે. ભલાને સુખી બનાવે છે અને બૂરાને તે દંડ દે છે. સારાં-ખરાબ કર્મોનો બદલો તદનુરૂપ મળ્યા વગર રહેતો નથી, પરંતુ કર્મ જ કર્મફળનું એકમાત્ર અને અદ્વિતીય કારણ છે એ વાત નૈયાયિકોને મંજૂર નથી. જો કર્મફળ એકમાત્ર કર્મને જ આધીન હોય તો પછી પ્રત્યેક કર્મ ફળવાળું દેખાવું જોઈએ. પુરુષકૃત કર્મ ઘણી વાર નિષ્ફળ નીવડતું દેખાય છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે કર્મફળના વિષયમાં કર્મ ઉપરાંત એક કર્મફળનિયંતા ઈશ્વર પણ છે. ૪) વેદના પ્રામાણ્ય ઉપર આધારિત દલીલ વેદ પ્રમાણગ્રંથ તરીકે સ્વીકારાય છે. વેદને અપૌરુષેય માનવામાં આવે છે. વેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy