SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૮ ‘બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થકરદેવ છે.” અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાષ્ટિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.' ‘જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે; તેમ જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જૈનના અક્કેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી.' - શ્રીમદ્ એક અસાધારણ કોટિના પરીક્ષાપ્રધાન પુરુષ હતા. તેઓ ન્યાયના કાંટે તત્ત્વનો તોલ કરી, સદ્ભવસ્તુનો સ્વીકાર કરનાર મધ્યસ્થ પુરુષ હતા. તેઓ માત્ર તર્કની દષ્ટિએ પરીક્ષાપ્રધાન હતા એમ નહીં પણ અનુભવની દૃષ્ટિએ પણ પરીક્ષાપ્રધાન હતા. તેમણે તત્ત્વને આત્માનુભવની કસોટીએ ચઢાવ્યું હતું. આજ્ઞાપ્રધાન કરતાં પરીક્ષાપ્રધાનની શ્રદ્ધા અનેકગણી બળવાન હોય છે અને તેમાં પણ આત્માનુભવથી પરીક્ષા કરનારની શ્રદ્ધા તો અનંતગણી બળવાન હોય છે. આમ, મતદષ્ટિથી નહીં પણ તત્ત્વદષ્ટિથી પ્રદર્શનની મધ્યસ્થ ભાવે મીમાંસા કરતાં શ્રીમન્ને વીતરાગદર્શનની પ્રમાણતા સિદ્ધ થઈ અને તે તેમણે હર્ષોલ્લાસપૂર્વક ઉદ્દઘોષી છે. શ્રીમદ્ જિન દર્શનના પરમ શ્રદ્ધાળુ હોવા છતાં નિરાગ્રહી હતા. શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ઉપરના ૧૯૪૬ના અસાડ માસના એક પત્રમાં શ્રીમદ્ લખે છે કે – ‘જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૪ (પત્રાંક-૩૨૨) ૨- એજન, પૃ.૪૬૩ (પત્રાંક-પ૯૭) ૩- એજન, પૃ.૧૨૫ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૯૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy