SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન ૫૫૩ અનુમાનના બે પ્રકાર છે - ૧) સ્વાર્થ અનુમાન, ૨) પરાર્થ અનુમાન. લિંગ પ્રથમ અનુમેયમાં રહે છે. જેમ કે ‘ટેકરી ઉપર અગ્નિ છે.' અહીં ટેકરી લિંગ છે અને આગ અનુમેય છે. એ લિંગ પક્ષ ઉપરાંત સપક્ષ (દા.ત. રસોડું)માં પણ રહે છે, પરંતુ વિપક્ષ (દા.ત. જળાશય)માં રહેતું નથી. અનુમેયત્રિરૂપલિંગ વડે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને સ્વાર્થાનુમાન કહે છે. સ્વાર્થાનુમાન એ જ્ઞાન છે, જ્યારે પરાર્થાનુમાન એ કથન છે. અનુપલબ્ધિ, સ્વભાવ તથા કાર્ય એ 'ત્રિરૂપલિંગ'ના કથનને પરાર્થાનુમાન કહેવાય છે. (i) અનુપલબ્ધિ – કોઈ વસ્તુનું ન મળવું તે અનુપલબ્ધિ છે. દા.ત. કોઈ એક સ્થાન ઉપર સ્વભાવતઃ ઘટની ઉપલબ્ધિનું લક્ષણ પ્રાપ્ત થવા છતાં ત્યાં તેની અનુપલબ્ધિ છે, અર્થાત્ ‘ઘટ ત્યાં નથી.' અહીં અનુપલબ્ધિ હેતુના કથન દ્વારા અનુમાન કરેલું છે. (i) સ્વભાવ સ્વસત્તામાત્રભાવી સાધ્યમાં જે હેતુ છે તેને સ્વભાવહેતુ કહે છે, અર્થાત્ જે હેતુ અન્ય હેતુની અપેક્ષા રાખતો નથી. દા.ત. “આ પશુ છે, કારણ કે તે ગાય છે. અહીં ગાયનું હોવું એ જ એનું પશુપણાનું હોવાપણું છે. iii) કાર્ય – સાધ્યનું કાર્ય (પરિણામ) જોઈને તેની ઉપલબ્ધિનું અનુમાન કરવું તે. જેમ કે “અહીં અગ્નિ છે, કારણ કે અહીં ધુમાડો છે.' આ વાક્યમાં ધુમાડો એ કાર્યમાં અગ્નિ એવા સાધ્યનું અનુમાન થાય છે. આ ત્રણે હેતુઓમાં સ્વભાવ અને કાર્ય વસ્તુની ઉપસ્થિતિ દર્શાવે છે તથા અનુપલબ્ધિ વસ્તુની અનુપસ્થિતિ દર્શાવે છે. પરાર્થાનુમાનના પણ અપક્ષ અને વિપક્ષની જેમ સાધર્મવતું અને વૈધર્મવતું એવા બે ભેદ છે. અહીં ભાર પ્રયોગ ઉપર છે, અર્થભેદ ઉપર નહીં. (III) તત્ત્વમીમાંસા (૧) આત્મા વિષે વિચાર પ્રતીત્યસમુત્પાદવાદના ટેકેદાર હોવાથી મહાત્મા બુદ્ધ પરિવર્તનશીલ દષ્ટ ધર્મો સિવાય કોઈ અદૃષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મત પ્રમાણે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે. તેઓ સમગ્ર જગતને પરિવર્તનશીલ માને છે અને નિત્ય બદલાતાં જતાં દ્રવ્યો કે પદાર્થોથી ભિન્ન એવું કોઈ સ્થિર કે સ્થાયી આત્મતત્ત્વ છે એમ માનતા નથી. તેમના મત પ્રમાણે જેને જીવાત્મા કહેવામાં આવે છે તે તો એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ છે. તે કોઈ નિત્ય અને અચળ વસ્તુ નથી. જીવન એ વિભિન્ન, ક્રમબદ્ધ અને અવ્યવહિત અવસ્થાઓનો એક પ્રવાહમાત્ર છે. જીવનની એકસૂત્રતાને તેમણે જલતા દીપક સાથે સરખાવી છે, કારણ કે દીવાની જ્યોત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy