SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મૃત્યુથી કોઈ બચવાનું નથી અને દેહ ભસ્મીભૂત થઈ જાય એટલે ફરી પાછું આવવાનું બનવાનું નથી. માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખમાં જીવો. કરજ કરીને પણ ઘી પીઓ. ૫૧૮ - તેમની બાબતમાં એ શક્ય છે કે બૃહસ્પતિએ લોકોને એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય કે પરલોક કે જેને વિષે તમે કશું સાક્ષાત્ જાણતા નથી, તેની પાછળ તમે ઐહિક જીવનનો આનંદ શા માટે ગુમાવો છે? આવતી કાલે મોર મળશે એવી આશાથી આજે હાથમાં આવેલું કબૂતર છોડી દે તેને મૂર્ખ જાણવો. કરજ કરીને પણ યજ્ઞમાં ઘી હોમો છો તેના કરતાં તમે પોતે પીઓને! બ્રહ્મચર્ય, સંન્યાસ, તપ વગેરે પાછળ જીવન બરબાદ કરો છો અને ઇહલોકના જીવનને માંદલું બનાવો છો એ બરાબર નથી. આ પ્રમાણે ચાર્વાકમતવાદીઓ માટે લૌકિક વ્યવહાર વિના બીજો કોઈ ધર્મ નથી અને લૌકિક વ્યવહાર પણ ભૌતિક સુખને માટે જ છે. ચાર્વાકમતવાદીઓની આ આચાર સંબંધી વિચારણા તેમના જડવાદનું જ પરિણામ છે. આમ, ચાર્વાકમત પૂર્ણપણે જડવાદી કે ભૌતિકવાદી છે. (V) ઉપસંહાર ભારતીય દર્શનની અન્ય બધી જ વિચારધારાઓ દ્વારા ચાર્વાકમતનું એકી અવાજે ખંડન થયેલું જોવા મળે છે. ખાસ કરીને ચાર્વાકમતવાદીઓનાં પ્રમાણ અંગેનાં (પ્રમાણમીમાંસા), દેહાત્મસંબંધ અંગેનાં (તત્ત્વમીમાંસા), જીવન વિષેનાં (આચારમીમાંસા) મંતવ્યો ખૂબ જ ટીકાપાત્ર બન્યાં છે. જૈનો, બૌદ્ધો, વેદાંતીઓ વગેરે દર્શનાનુયાયીઓએ તેના ભૌતિકવાદ ઉપર ઘણા પ્રહારો કર્યા છે. ચાર્વાકદર્શનની નિષ્ફળતાનું એક કારણ એ હતું કે તેણે ઘડવા કરતાં ભાંગવાની પ્રવૃત્તિ જ અધિક કરી હતી. વૈદિક વિધિ-વિધાનને ઉથલાવી પાડવાં એ જ તેનો મુખ્ય ઉદ્દેશ હતો. ભગવાન મહાવીરે તથા મહાત્મા બુદ્ધે એક ઉચ્ચતર અને મહત્તર સત્યનો માર્ગ બતાવવા વૈદિક ક્રિયાકાંડનો તર્કયુક્ત વિરોધ કર્યો હતો, જ્યારે ચાર્વાકમતને માત્ર દોષો દેખાડવા સિવાય બીજું કંઈ કરવા જેવું લાગ્યું ન હતું. ચાર્વાકમત ધર્મક્રિયાની બાબતમાં નિષેધવાદી હોવાથી તેની પાસે પોતાનું કોઈ વિધાન કે આસ્થાનું સ્થાન ન હતું, તેથી તે સમાજમાં અને દર્શનશાસ્ત્રીઓમાં બહુ મોટું સ્થાન મેળવી શક્યો નહીં. વૈદિક વિધિ-વિધાનને ઉથલાવી પાડવાં એ જ તેનો ઉદ્દેશ હોવા છતાં એટલું તો સ્વીકારવું જોઈએ કે સૌ પહેલાં યુક્તિવાદનો આશ્રય કોઈએ લીધો હોય તો ચાર્વાક દર્શને લીધો છે. ભારતવર્ષના બીજા દર્શનોમાં એ જ યુક્તિવાદ પછી ફૂલ્યોફાલ્યો લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy