SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન 439 સાચવી ન શકાવાથી ધર્મસમાજ છિન્નભિન્ન થઈ ગયો છે. આવા વિસંવાદ અને મતભેદની પરિસ્થિતિયુક્ત ધર્મસમાજ ઉપર શ્રીમદે પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદ્ ઇચ્છતા હતા કે સમાજ ધર્મના સ્વરૂપને સમજે અને સત્યને પામી સ્વશુદ્ધિ કરે, તેથી બન્ને પ્રકારના જીવોને શ્રીમદે ધર્મદેશના દ્વારા સાચા આરાધક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધર્મસમાજનું દર્શન કરાવનારાં અન્ય પાસાં પણ આવરી લીધાં છે. જેમણે આત્મધર્મ જાણ્યો નથી, આત્મપ્રાપ્તિ કરી નથી અને માત્ર વેષ ધારણ કર્યો છે તેઓ અથવા અજ્ઞાની કુળગુરુઓ માર્ગદર્શક બની શકતા નથી એ વાત તરફ શ્રીમદે આ ગ્રંથમાં અંગુલિનિર્દેશ કર્યો છે. તેમણે સાચા સંતોની પરખ કરવા પ્રત્યે ધ્યાન દોર્યું છે. વર્તમાનમાં ધર્મના આરાધકો પોતાના ગુરુ આત્મજ્ઞાની છે કે નહીં તે જાણવાની તસ્દી લેતા નથી. જ્યાં બાહ્ય વેષથી સતુ-અસતુની ઓળખાણ કરવાના આગ્રહયુક્ત જીવો બહુધા વર્તે છે, ત્યાં આંતર પરીક્ષાનો અવકાશ મુદ્દલ પણ રહેતો નથી. બાહ્ય લક્ષણો અને લિંગાદિ સામગ્રી જ આવા જીવોનો માપદંડ હોય છે. તેઓ જાણતા નથી કે સમકિત વિનાના ગુરુ પાસેથી સમકિતની પ્રાપ્તિ થશે એમ માનવું મિથ્યા છે. જેમણે પોતાના સ્વરૂપની નિષ્પત્તિ કરી નથી, તેઓ માર્ગ દર્શાવવાને યોગ્ય નથી. આવા જીવોને બાહ્ય વેષાદિની સામગ્રી વડે માર્ગ દર્શાવવાપણું પ્રાપ્ત થાય તો તેઓ જ્ઞાનીઓના આશયને ન્યાય આપવામાં અસમર્થ નીવડે છે અને તેથી જ્ઞાનીઓના આશયનું પ્રતિબોધિત્વ તેમના અનુયાયી જીવને પણ ઉપલબ્ધ થતું નથી. જેમણે આત્મસ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું છે - વેડ્યું છે, તે જ પુરુષ મોક્ષમાર્ગ દર્શાવવાને યોગ્ય છે, આત્મસ્વરૂપ સમજાવવાને યોગ્ય છે અને તેવા પુરુષથી જીવને સાચી પ્રતીતિ આવે છે. તેવા સત્પરુષના નિમિત્તે જીવનું કલ્યાણ થવા યોગ્ય છે. જેમણે સ્વરૂપને વેડ્યું નથી અને વેષાદિ સામગ્રીના બળથી ઉપદેશકત્વ પ્રાપ્ત થયું છે એવા પુરુષોનો ઉપદેશ જીવને પરમાર્થસન્મુખ કરી શકતો નથી. જેણે સ્વયં આત્મસિદ્ધિ કરી નથી તે અન્યને કેવી રીતે આત્મસિદ્ધિ કરાવી શકે? તેથી મુમુક્ષુ જીવ તો સદ્ગુરુની યથાર્થ ઓળખાણ કરી, જેમનામાં આત્મજ્ઞાન પ્રગટ્યું છે એવા સગુરુની શુદ્ધ સેવા-ભક્તિ મન-વચન-કાયાથી આદરે છે; પરંતુ જેનામાં મુમુક્ષુતા જાગી નથી એવા જીવો સદ્ગુરુપણાનો બાહ્યલિંગમાત્રમાં આરોપ કરીને આંતર ગુણોનો અલક્ષ કરે છે, જે તેમની બુદ્ધિની બાલિશતા સૂચવે છે. કુળપરંપરાના વ્યામોહથી માનેલો માર્ગ સેવી, ‘અમે મોક્ષમાર્ગના પથિક છીએ' એવા મિથ્યાભિમાનમાં તેઓ રાચે છે, પરંતુ તેથી કંઈ તેમને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. તેઓ ધર્મદઢતાના બહાને મતાગ્રહ પોષનારા આગ્રહી ગુરુઓની કપટજાળમાં ફસાઈ કુમાર્ગે ચાલે છે. પરમાર્થપુણ્યના યોગે કોઈ સત્પરુષ મળી જાય તોપણ માન-પૂજા અર્થે કે પોતાના મતાગ્રહ અર્થે તેઓ અસદ્દગુરુને ત્યાગતા નથી. આ તથ્યને વાચા આપતાં શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy