SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ શ્રીમની અનન્ય લાક્ષણિક શૈલીથી આલેખાયેલો એક સર્વાંગસુંદર અધ્યાત્મગ્રંથ છે. આ ગ્રંથ સાહિત્યદૃષ્ટિએ તો ઉચ્ચ કક્ષાનો છે જ, તેના કરતાં પણ વિશેષ તે અધ્યાત્મદષ્ટિએ અતિ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ કાવ્ય અને સાહિત્યના ઉત્તમ વિદ્વાન તો હતા જ, પણ તેના કરતાં વિશેષ તેઓ સિદ્ધાંતજ્ઞાની અને આત્મતત્ત્વના અનુભવી સમર્થ પુરુષ હતા; તેથી તેમનું કવન અધ્યાત્મપ્રધાન રહ્યું હોવાથી તેમાં સર્વત્ર આત્માનું સંકીર્તન જોવા મળે છે. પોતાની વિશિષ્ટ કવિત્વશક્તિથી તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માનાં છ પદ જેવો તત્ત્વજ્ઞાનસભર વિષય પદ્યબદ્ધ કર્યો છે. શ્રીમદ્ભા ઉત્કટ આત્મભાવોએ સહજરૂપે કાવ્યનો આકાર ધારણ કર્યો છે. તેમાં તેમની ભાષારચનાનો ચમત્કાર છે, શબ્દસમૃદ્ધિનું વિશાળપણું છે, શૈલીની સુંદરતા છે અને તે સાથે તે શબ્દો પાછળ એક મહાન આત્માનો આંતર નાદ પણ સંભળાય છે. ત્મદર્શનની કૌમદી નીચે લહેરાતા શાતાભર્યા ચિત્તનો અણસાર પણ સાંપડે છે. - શ્રીમદ્ સ્વભાવ મનનશીલ હતો. તેમનું ચિંતન આત્મલક્ષી હતું. તેમણે તાત્ત્વિક અને આચારવિષયક વિષયો ઉપર ગંભીર વિચારણા કરી હતી. તેમણે પૂર્વાચાર્યોના ગ્રંથોનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કર્યો હતો અને તેને શબ્દ, ભાવ અને તાત્પર્ય સહિત પચાવ્યા હતા. તત્ત્વવિષયક અને વૈરાગ્યપ્રધાન સાહિત્ય તેમની નસ નસમાં વ્યાપી ગયું હતું. અધ્યાત્મજ્ઞાન તેમના જીવનમાં એટલું બધું ઓતપ્રોત થઈ ગયું હતું કે તેમની વાણી અને વ્યવહાર તેનાં દર્પણ બની ગયાં હતાં. અધ્યાત્મના ભાવો તેમનાં લખાણોમાં એવી રીતે વ્યક્ત થયા છે કે તેના ઉપરથી તેમની આત્મદશા કેટલી ઉચ્ચ હતી અને તેમણે કેટલી સિદ્ધિ મેળવી હતી તેનું વિશદ દર્શન થઈ શકે છે. તેમનાં અધ્યાત્મવિષયક કાવ્યો સહજ ભાવે સરળતાથી પ્રતિપાદ્ય વિષયને ખોળામાં લઈ ક્યાંક જોસભેર તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર ગતિએ પ્રવાહબદ્ધ થઈ વહ્યા કરે છે. તેમનાં લખાણોનો આશય સમજવામાં જરા પણ સ્કૂલના થતી નથી. શાસ્ત્રોની ભાવનાને આત્મસાત્ કરવાની તત્પરતા, સત્યને શોધી કાઢવાની સૂઝ તથા પોતાના ભાવોને એક સિદ્ધહસ્ત સાહિત્યકાર અને કવિની અદાથી સુગમ તેમજ સચોટ ભાષાશૈલીમાં રજૂ કરવાની પ્રતિભા - આ સર્વ તેમની આધ્યાત્મિક દૃષ્ટિ, જન્મ-જન્માંતરની સાધના અને અભિવ્યક્તિના સામર્થ્યનાં સાક્ષી છે. તેમણે આત્માને અનુભવથી સિદ્ધ ર્યો હોવાથી તેમની વાણી અનુભૂતિમાંથી પ્રગટી છે. તેમની કૃતિઓમાં ન વાદવિવાદમાં વિજય મેળવવાની લાલસા છે, ન ખ્યાતિ આદિ મેળવવાની કામના છે, ન પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાની વૃત્તિ છે કે ન તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy