SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્ય દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય વિદ્વાનોએ સાંખ્ય શબ્દના વિવિધ અર્થો ઘટાવેલ છે. સાંખ્ય શબ્દ “સંખ્યા' ઉપરથી બનેલો છે. વિશ્વનાં ઘટક તત્ત્વોની સંખ્યાનું આમાં નિરૂપણ છે. વિચાર એટલે કે તાત્ત્વિક ચિંતનના અર્થમાં પણ સાંખ્ય શબ્દ વપરાય છે. સમ્યક્ બુદ્ધિવાળું - વિવેકવાળું આત્મકથન એટલે સાંખ્ય એવો પણ અર્થ થાય છે. (સમ્ = સારું; ખ્યા = કરવું) પુરુષ તથા પ્રકૃતિના ભેદનું જે યથાર્થ જ્ઞાન (ભેદજ્ઞાન, વિવેકજ્ઞાન) તેનું નામ સાંખ્ય એવો અર્થ વિશેષપણે પ્રચલિત તથા સ્વીકાર્ય થયો છે. શ્રીમદ્ ભગવદ્ગીતા'માં પણ સાંખ્ય' શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાન અથવા આત્મબોધના અર્થમાં થયો છે. શ્રી શંકરાચાર્ય ‘વિષ્ણુસહસ્રનામ' ઉપરની ટીકામાં તેને શુદ્ધ આત્મવિજ્ઞાન કહે છે. સાંખ્ય દર્શન વાસ્તવવાદી (realistic), વૈતવાદી (dualistic) અને બહુતત્ત્વવાદી (pluralistic) દર્શન છે. વાસ્તવવાદી એ અર્થમાં છે કે તે પુરુષથી સ્વતંત્ર એવા વાસ્તવિક જગતના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તે દ્વૈતવાદી એટલા માટે છે કે એકબીજાથી તદ્દન ભિન્ન, પૂર્ણ, સ્વતંત્ર એવાં બે સત્તત્ત્વો - પુરુષ અને પ્રકૃતિનો તે સ્વીકાર કરે છે. તે બહુતત્ત્વવાદી એ અર્થમાં છે કે તે એક નહીં પણ અનેક પુરુષોનો સ્વીકાર કરે છે. સાંખ્ય દર્શન એ આર્યોનું પ્રાચીન કાળનું પદાર્થશાસ્ત્ર છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક સાંખ્યસિદ્ધાંતના ઇતિહાસના પાંચ યુગ છે – ૧) ‘ઉપનિષદો' અને “શ્રીમદ્ ભગવદ્ગીતા'નું સાંખ્ય. (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ઈ.સ. પૂર્વે ૮OO) ૨) ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધનો યુગ શરૂ થયો તે વખતનું સાંખ્ય. (ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. પૂર્વે ૫00) ૩) મહાભારત' અને પુરાણો'નું સાંખ્ય - સેશ્વરવાદી પૂર્વાવસ્થા અને નિરીશ્વરવાદી ઉત્તરાવસ્થા. (ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. પૂર્વે ૨૦O) ૧- જુઓ : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૨, શ્લોક ૩૯ 'एषा तेऽभिहिता सांख्ये बुद्धिोगे त्विमां श्रृणु । बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy