SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૦ ૬૯ છે અને તે પોતે તે દોષને ટાળી શકે છે. ભૂલ કરવામાં જીવ સ્વતંત્ર છે અને ટાળવામાં પણ સ્વતંત્ર છે. સવળું કરવામાં તેમજ ઊંધું કરવામાં જીવ સ્વતંત્ર છે. પોતાના આત્માનું ભલું અથવા બુરું કરવાવાળો જીવ પોતે જ છે. તેને હાનિ અથવા લાભ પહોંચાડનાર સ્વયં જીવ જ છે. પોતાનો સુધાર કે બગાડ, પોતાનું હિત કે અહિત જીવ સ્વયં જ કરી શકે છે, અન્ય કોઈ નહીં. કર્મના ઉદયમાં જીવ જાગૃતિ ન રાખે તો તે રાગાદિ વિકારી ભાવરૂપે પરિણમે છે અને તેના આત્માનું અહિત થાય છે, પણ જો તે આત્મજાગૃતિ રાખે તો તે કર્મના ઉદયને વશ થતો નથી અને આત્મહિત થાય છે. પુરુષાર્થ ફોરવીને જો તે સ્વરૂપજાગૃતિ રાખે તો મોક્ષમાર્ગે આગળ વધે છે. ઉપયોગને સ્વરૂપ પ્રત્યે લઈ જવાનો પુરુષાર્થ કરતાં મોક્ષનો ઉપાય સધાય છે, માટે જીવે સ્વરૂપજાગૃતિનો પુરુષાર્થ કરવો જોઈએ. આ પુરુષાર્થ જીવ અવશ્ય કરી શકે છે અને તેમાં કોઈ કર્મ બાધા કરી શકતું નથી. કર્મ જીવને પુરુષાર્થ કરતાં અટકાવે છે એ વાત ત્રણે કાળમાં સાચી નથી. જો જીવ પુરુષાર્થ ન કરે તો અવશ્ય જીવનો જ દોષ છે, કર્મનો નહીં; પરંતુ જેને પરમાર્થની ઇચ્છા નથી એવો જીવ આત્માનો આશ્રય તો કરતો નથી અને કર્મને દોષ આપે છે. પોતે પુરુષાર્થ કરવા સમર્થ હોવા છતાં તે પુરુષાર્થ કરતો નથી અને વાંક કાઢે છે કર્મના ઉદયનો. ધર્મ કરવા ધારે તો તે કરી શકે તેમ છે, પરંતુ પોતે પુરુષાર્થ કરતો નથી અને દર્શાવે છે કે કર્મના સ્વામિત્વના કારણે પોતે પુરુષાર્થ ઉપાડી નથી શકતો. તે કહે છે કે ‘કર્મનો ઉદય એવો છે કે ધર્મકાર્ય કરવાની ઇચ્છા ખૂબ હોવા છતાં ધર્મ થઈ શકતો નથી. કર્મ મને ધર્મ કરવા દેતાં નથી.' કર્મ તેને ધર્મ કરવા દેતાં નથી, પરંતુ વ્યાપાર કરવા દે છે, સાંસારિક કાર્યો કરવા દે છે! ધન કમાવવામાં તેને કર્મ આડું આવતું નથી, તેમાં તો તે ઘણો પુરુષાર્થ કરે છે; પરંતુ ધર્મ કરવામાં તેને કર્મ આડું આવે છે, તેથી તે તેમાં પુરુષાર્થ નથી કરી શકતો! જીવનાં પરિણામોની કેવી વિચિત્રતા છે! આ જ સાબિત કરે છે કે તેને ધર્મમાં ખરેખર રુચિ નથી. તે સાંસારિક કાર્યોમાં પોતાનો ઉપયોગ જોડે છે, પણ ધર્મમાં જોડતો નથી. સંસારનાં કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન દેખાય તોપણ ત્યાં જીવ પુરુષાર્થ કર્યા કરે છે અને પરમ હિતરૂપ, પ્રયોજનભૂત એવા મોક્ષ માટે પુરુષાર્થ નથી કરતો. આ જ બતાવે છે કે તેને મોક્ષપુરુષાર્થ હિતરૂપ લાગ્યો નથી. જીવને મોક્ષની સાચી અભિલાષા નથી, તેને વિષય-કષાયાદિ ભાવમાં જ રહેવું છે અને સાથે મુમુક્ષુતાનો ઢોંગ કરવો છે. તેને સ્વચ્છંદે પ્રવર્તવું છે અને ધાર્મિક પણ કહેવડાવવું છે. જો તે પોતાની અરુચિનો, સંસારલોલુપતાનો સ્વીકાર કરી લે તો તે અધાર્મિકમાં ખપે, તેથી તે આવી યુક્તિઓ કરે છે. તે પોતાની ભૂલને ઢાંકવા માટે તર્ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy