SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ગાથા-૧૩૦ ઉપર રહ્યા કરતો હોય તેને વસ્તુસ્વરૂપનો યથાર્થ સ્વીકાર નથી. જેની કર્તબુદ્ધિ દૂર થાય અને જેને અંતર્દષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયથી કર્તાપણું છૂટી જ્ઞાતાપણું પ્રગટ થાય એ જ સવળો પુરુષાર્થ છે. દષ્ટિને સ્વભાવ તરફ વાળવામાં જ મોક્ષમાર્ગનો અનંત પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં આત્મોન્મુખી અનંત પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવાથી પુરુષાર્થ ઊડી જાય છે એવો ભય અજ્ઞાનીને લાગે છે, કારણ કે તે હજુ પુરુષાર્થનું સાચું સ્વરૂપ જ જાણતો નથી. વાસ્તવમાં ક્રમબદ્ધ પર્યાયને માનવાથી સપુરુષાર્થનો આરંભ થાય છે, કારણ કે સંપૂર્ણ જગતનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી પર ઉપર દષ્ટિ રહેતી નથી. કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી રહેતો અને દૃષ્ટિ સ્વભાવસમ્મુખ થઈ જાય છે. આ જ સમ્યક્ પુરુષાર્થ છે. જ્યાં સુધી ફેરફાર કરવાની દૃષ્ટિ થશે ત્યાં સુધી ઊંધો અને વ્યર્થ પુરુષાર્થ થતો રહેશે અને જ્યારે ફેરફાર કરવાની દૃષ્ટિ નષ્ટ થઈને સહજ સ્વભાવ તરફ દૃષ્ટિ થશે ત્યારે સમ્યક્ પુરુષાર્થ શરૂ થશે. પરમાં ફેરફાર કરવાની ચેષ્ટા એ પુરુષાર્થ નથી, જીવની મિથ્યા માન્યતાના કારણે આવો અવળો પુરુષાર્થ થાય છે. જે જીવ જ્ઞાનસ્વભાવસમ્મુખ થતો નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા કરતો નથી અને થવાનું હશે તે થશે એમ કહીને પુરુષાર્થનો નિષેધ કરે તો તે જીવ સ્વચ્છંદી છે. ક્રમબદ્ધ પર્યાય એ કાંઈ મિથ્યાત્વ પોષવા માટેની વાત નથી. એ તો મિથ્યાત્વ મટાડવા માટેની વાત છે. જીવ જો ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને યથાર્થપણે સમજે તો જ્ઞાનસ્વભાવની સન્મુખતા દ્વારા તેનું મિથ્યાત્વ નાશ પામે છે. (૩) કાળનું બહાનું વળી, કેટલાક જીવો કહે છે કે પંચમ કાળમાં મોક્ષનો અભાવ કહ્યો છે, માટે પુરુષાર્થનું ફળ મળે એમ નથી, તેથી અત્યારે મોક્ષની મહેનત કરવાનો અર્થ નથી. કાળ દુષમ છે, સાક્ષાત્ તીર્થકર ભગવંતનો વિરહ વર્તે છે, જ્ઞાનીપુરુષને ઓળખવા મુશ્કેલ છે, તેથી પુરુષાર્થ થતો નથી; હીણો કાળ ચાલે છે, એટલે કંઈ કરવાની સૂઝ પડતી નથી; પરંતુ આ સર્વ માત્ર બહાનાં છે. પ્રમાદને પોષવાવાળા વિકૃત ભાવો છે. આ બહાનાંની પાછળ પરમાર્થની ઇચ્છાનો અભાવ છે. પોતાને પરમાર્થની રુચિ નથી, આત્મહિતનું કામ કરવું નથી, તેથી પોતાની નિષ્ક્રિયતાનો આરોપ કાળ ઉપર લગાવે છે. આવાં પુરુષાર્થહીનતાપ્રેરક વચનોથી સાવચેત રહેવા શ્રીમદ્ કહે છે કે – અજ્ઞાનીઓ આજ “કેવળજ્ઞાન નથી', “મોક્ષ નથી” એવી હીનપુરુષાર્થની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy