SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલ્યાંકન ૪૨૭ છે. તેમાં પુરુષ, બહ્મ, ચેતન જેવા આત્મતત્ત્વના બોધક શબ્દોનો ઉપયોગ થયેલો છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ ગુરુશિષ્યસંવાદરૂપે આત્માનાં છ પદનો બોધ છે. આત્મા એ જ તેનો પ્રધાન વિષય છે અને તેમાં થયેલું નિરૂપણ પણ આત્મલક્ષી જ છે, તેથી તેને ઉપનિષદ સંજ્ઞા આપી શકાય છે. વેદસાહિત્યમાં ‘ઉપનિષદ્ નું કેવું સ્થાન છે, તેવું જ પ્રતિષ્ઠિત અને ગૌરવભર્યું સ્થાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું જૈન સાહિત્યમાં તેની અપૂર્વ રસસમૃદ્ધિ અને ગહનતાને કારણે છે. કર્મપારતંત્રમાંથી મુક્ત કરી આત્મસ્વાતંત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને શિવ બનાવનાર, આત્માને પરમાત્મપદ પમાડનાર અધ્યાત્મશાસ્ત્રોના નવનીતરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું સ્થાન અનુપમ છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દાર્શનિક વિચારધારાનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવા છતાં શ્રીમદે સાયંત આત્માને જ મુખ્ય વિષય તરીકે રાખ્યો છે. તેમાં આત્મભાવની વૃદ્ધિ કરવાની જ પ્રેરણા છે. પૂર્વાચાર્યોએ અધ્યાત્મવિષયક ગ્રંથોમાં જે આત્મવિચાર પુષ્ટ કર્યો છે, તે સમગ્ર વિચાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એવા સહજ ભાવે ગૂંથાઈ ગયો છે કે તેમાંથી વાંચનારને પૂર્વાચાર્યોના ગ્રંથોનું પરિશીલન કરવાની એક ચાવી મળી રહે છે. અધ્યાત્મમાર્ગનું ખરું રહસ્ય સમજવા ઇચ્છનારને તે અવશ્ય ઉપયોગી થશે. શ્રીમદે આ રચના માત્ર શાસ્ત્રો વાંચીને નથી કરી, પરંતુ આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી અનુભૂતિ માટે કરેલ મંથન તથા સાધનાના પરિણામે પ્રાપ્ત થયેલ પોતાની અનુભવપ્રતીતિને તેમાં નિરૂપી છે. તેની સંકલના એવી સુસંગત થઈ છે કે તેમાં આત્માર્થ સિવાય કાંઈ આવતું નથી, આત્માર્થ અંગેનું કાંઈ રહી જતું નથી અને આત્માર્થ સિવાય તે બીજે કશે પણ આડું ફંટાતું નથી. તેથી જ ગુરુચરણ સમીપે બેસી, તત્ત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થયેલ ઉપનિષદોની યાદ આપે એવું ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિને પ્રકાશનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ખરેખર આત્માનું અનુપમ ઉપનિષદ - “આત્મોપનિષદ' છે. આ અંગે પંડિત સુખલાલજી લખે આત્મસિદ્ધિ' વાંચતાં અને તેનો અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી. રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય વાણી કે ખેંચી અર્થ ન કાઢવો પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.” ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy