SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કરવામાં આવ્યો છે. જેમ કે – આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.” (૧૦૧) એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” (૧૧૬) “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” (૧૧૭) ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. (૧૨) આત્મસ્વરૂપ સમજાવવા માટે “નિત્ય' (ગાથા ૪૩), “કર્તા' (ગાથા ૪૩), “ભોક્તા (ગાથા ૪૩), “દ્રષ્ટા' (ગાથા ૫૧), “અબાધ્ય અનુભવ' (ગાથા પ૧), “પ્રગટરૂપ ચેતનમય' (ગાથા પ૪), “જાણનાર' (ગાથા ૫૫), “દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય” (ગાથા ૬૮), અસંગ છે પરમાર્થથી' (ગાથા ૭૬), “સિદ્ધસમ' (ગાથા ૧૩૫) આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મતત્ત્વની સ્પષ્ટતાપૂર્વક વિચારણા કરવામાં આવી છે. અધ્યાત્મના વિશાળ પ્રદેશમાં વિચરણ કરાવી આ ગ્રંથ મનને પ્રફુલ્લિત કરી દે છે. અધ્યાત્મપ્રેમીઓના હૃદયમાં વસી જાય એવું આ શાસ્ત્ર છે. તે અધ્યાત્મનું એક એવું કલ્પવૃક્ષ છે કે જેની પાસેથી આત્માને લગતું સર્વ રહસ્ય પ્રાપ્ત થાય છે. તેનું પ્રયોજન એ છે કે સર્વ જીવો આત્મસ્વરૂપનો આશ્રય કરે, તેનું ધ્યાન કરે, તેનો જ અનુભવ કરે, તેમાં જ વિતરણ કરી આત્માની સિદ્ધિ કરે. પદે પદે આત્માનો જ મહિમા ગાતો આ ગ્રંથ સર્વ મુમુક્ષુઓને ખૂબ ઉપકારી છે. અર્થગંભીર રહસ્યોને સરળ ભાષામાં વ્યક્ત કરી આ ગ્રંથે આત્માથજનો માટે આત્મરુચિપોષક ભાથું પૂરું પાડ્યું છે. આ ગ્રંથ ઉપનિષદોનું સ્મરણ કરાવે છે. ઉપનિષદોની ભાષાશૈલી તથા ઉદાહરણો યોજવાની કળાનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં દર્શન થાય છે. ઉપનિષદ શબ્દ બે ઘટકોનો બનેલો છે - ઉપ અને નિષદ. ઉપ એટલે સમીપ અને નિષદ એટલે બેસવું, અર્થાત્ નજીકમાં બેસવું એમ ઉપનિષદનો અર્થ થાય છે. ગુરુની પાસે, તેમના ચરણમાં બેસીને શીખી શકાય એવા ઊંચા અને ઊંડા તત્ત્વજ્ઞાનને પણ ઉપનિષદ કહે છે. વેદોનો જ્ઞાનોપદેશ કરતો અંતિમ ભાગ ‘ઉપનિષદ્' સંજ્ઞા પામ્યો છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા આવા પ્રાચીન ઉપનિષદો વિખ્યાત છે. તેમાં આત્મતત્ત્વની ચર્ચા છે. તે ઉપરાંત બીજી જે પણ ચર્ચા છે તે આત્મતત્ત્વની સમજ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy