SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યાસંગ (hobby) કે બૌદ્ધિક વિલાસનું સાધન ન હતું, પણ તત્ત્વજ્ઞાન એ તો તેમને માટે આત્મસાક્ષાત્કાર પામેલી કે પામવા માટેની વિચારધારા હતી. પંડિત સુખલાલજી કહે છે – ‘દર્શનવિદ્યા એ છેવટે માણસને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા મનુષ્યને વિશ્વ સાથેના તેમજ ઇતર પ્રાણીજગત સાથેના તેના સંબંધ વિષે વિચાર કરવામાં મદદ કરે છે. આ વિચારમાંથી મનુષ્યનું રૂપાન્તર થાય છે. તેનું જીવન માત્ર સ્થળલક્ષી મટી સૂક્ષ્મલક્ષી અને સર્વલક્ષી થવાની દિશામાં વળે છે, જેને લીધે તે વ્યક્તિરૂપે જુદો દેખાવા છતાં તાત્ત્વિક રીતે સર્વમાં આત્મૌપગની અથવા તો અભેદની દષ્ટિ કેળવે છે. આ દષ્ટિ જ માનવતાનું સાધ્ય છે અને એ જ ચારિત્રનિર્માણનો પાયો છે.” પ્રાચીન કાળના ભારતવાસીઓ સત્યની માત્ર બૌદ્ધિક શોધ કરીને અટકી જતા નહીં, પણ એ સત્યને પોતાના અનુભવમાં ઉતારવાનો પ્રયત્ન કરતા. સત્તત્ત્વનું ‘જ્ઞાન' થયા પછી તેઓ તેને કસીને, તે દ્વારા મોક્ષ મેળવવાનો પુરુષાર્થ કરતા. એટલે તેમના મત અનુસાર તત્ત્વજ્ઞાન એ કેવળ બુદ્ધિથી થયેલી પ્રતીતિ નહીં, પણ અભ્યદય અને નિઃશ્રેયસ સુખ પ્રાપ્ત કરવાનું સાધન હતું. પૌરસ્ય હોય કે પાશ્ચાત્ય, બધાં જ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં જોઈ શકાય છે કે એ માત્ર જગત, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ થતું નથી, પણ તેની સાથે જીવનના પ્રશ્નોને પણ એ સાંકળી લે છે; એટલે કે તત્ત્વજ્ઞાન પોતાનામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત્ત, પૌરસ્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ બાબતમાં થોડો તફાવત પણ છે. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો ઉદ્ભવ આશ્ચર્યમાંથી થાય છે, જ્યારે પૌરસ્ય તત્ત્વજ્ઞાનનો ઉદ્ભવ દુઃખમુક્તિના માર્ગની ખોજમાંથી થાય છે. પાશ્ચાત્ય ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિષેના પ્રશ્નોમાંથી થઈ હતી અને આગળ જતાં ખ્રિસ્તી ધર્મ સાથે એનો સંબંધ જોડાતાં એમાં જીવનશોધનનો પ્રશ્ન પણ ઉમેરાયો હતો અને તે પછી એ પાશ્ચાત્ય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ખ્રિસ્તી ધર્મના રોમન કેથોલિક સંપ્રદાયમાં તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈ શકાય છે. આથી વિરુદ્ધ, પૌરમ્ય આર્ય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નોમાંથી થઈ હોય એમ લાગે છે. આર્ય તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. દરેક આર્ય દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પોતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના ૧- પંડિત સુખલાલજી, ‘ભારતીય તત્ત્વવિદ્યા', પૃ.૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy