SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનપરિચય - ભારતીય દર્શન ૫૦૩ પ્રશ્નને જ છણે છે, તેથી દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષનો ઉદ્દેશ અને અંતમાં તેનો જ ઉપસંહાર જોવા મળે છે. આર્ય દર્શનની પરંપરાઓમાં જગત, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપચિંતન પરત્વે અથવા બાહ્ય આચારોમાં ભેદ હોવા છતાં આર્ય દર્શનની દરેક પરંપરામાં જીવનશોધનને લગતા મૌલિક પ્રશ્નોમાં ખાસ તફાવત નથી. કોઈ ઈશ્વરને માને કે ન માને, કોઈ પ્રકૃતિવાદી હોય કે પરમાણુવાદી હોય, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કોઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કોઈ તેથી ઊલટું માને, કોઈ ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ જ્ઞાન ઉપર ભાર મૂકે, કોઈ નિષ્કામ કર્મની વાત કરે કે કોઈ કર્મસંન્યાસની વાત કરે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે - દુઃખ છે કે નહીં? હોય તો તેનું કારણ શું? તે કારણનો નાશ શક્ય છે? અને શક્ય હોય તો કઈ રીતે? આ પ્રશ્નોના ઉત્તરો પણ દરેક પરંપરામાં લગભગ એકસરખા જ છે. અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને તેનો નાશ સંભવિત છે. આત્મજ્ઞાન દ્વારા દુઃખનાં કારણોનો નાશ થતાં જ દુઃખ ક્ષય થાય છે. આમ, આર્ય દર્શનોની પરંપરા જીવનશોધનના મૌલિક પ્રશ્નો વિષે લગભગ સમાન વિચારસરણી ધરાવે છે. (IV) દર્શનોનું વર્ગીકરણ આર્યાવર્તના દર્શનશાસ્ત્રોની વિચારશ્રેણીના બે મુખ્ય વિભાગ પાડવામાં આવે છે. આસ્તિક દર્શનો અને નાસ્તિક દર્શનો – (i) આસ્તિક દર્શનો એટલે વેદને પ્રમાણભૂત માની પ્રવૃત્ત થયેલાં દર્શનો. (ii) નાસ્તિક દર્શનો એટલે વેદશાસ્ત્રને પ્રમાણભૂત ન માનનારાં અને સ્વતંત્ર રીતે પ્રવૃત્ત થયેલાં દર્શનો. પ્રથમ વિભાગમાં (૧-૨) ન્યાય અને વૈશેષિક, (૩-૪) સાંખ્ય અને યોગ, (૫-૬) પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા (વેદાંત); અને બીજા વિભાગમાં (૧) ચાર્વાક (લોકાયત), (૨) જૈન અને (૩) બૌદ્ધ દર્શને આવે છે. આત્મતત્ત્વ, પુનર્જન્મ, કર્મતત્ત્વને જે માને તે આસ્તિક અને જે ન માને તે નાસ્તિક; અથવા જે જગતકર્તા ઈશ્વરને સ્વીકારે તે આસ્તિક અને જે ન સ્વીકારે તે નાસ્તિક; એવા પ્રચલિત અર્થથી ઉપરનું વર્ગીકરણ જુદું પડે છે. તેમાં આસ્તિક' અને નાસ્તિક એવું આ નામકરણ વેદાનુયાયીઓએ કરેલું છે. વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર ‘આસ્તિક' અને નહીં સ્વીકારનાર ‘નાસ્તિક', આ વ્યાખ્યાનુસાર જેઓ ‘નાસ્તિક' કહેવાય છે, એમાંના જૈન અને બૌદ્ધ દર્શન, આત્મતત્વના અસ્તિત્વને સ્વીકારતાં હોવાથી પોતાને આસ્તિક માને છે. સમય જતાં નાસ્તિક શબ્દ માત્ર અનાસ્થાનો દ્યોતક ન રહેતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy