SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ 466 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન હોય તો જ સરળતાથી પ્રગતિ કરી શકે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આ આવશ્યકતા પૂર્ણ કરે છે. આત્મહિતના ઇચ્છક જિજ્ઞાસુ જીવોને સત્ય સનાતન માર્ગનું યથાર્થ સ્વરૂપ તથા તે માર્ગમાં કેવી રીતે પ્રવર્તન કરવી તેનું સચોટ માર્ગદર્શન આ ગ્રંથ આપે છે. એક જ ગ્રંથમાં શ્રીમદે સાધકને ઉભવતી સર્વ જિજ્ઞાસા સંતોષી છે. તેમણે સાધનાનાં સોપાન ઉપર આરોહણ કરતાં સાધનાનો સાવંત માર્ગ પ્રગટ કર્યો છે. તેમણે સાધકને અનુભવના ક્ષેત્રનું ખેડાણ કરવા માટે પ્રેરણા કરી છે. નિજ શુદ્ધતા તે જ મોક્ષ છે એમ સ્પષ્ટ કરીને તેમણે નિજ શુદ્ધતાની પ્રાપ્તિનો રાજમાર્ગ પ્રગટ કર્યો છે, જે આત્મસાધના કરનારાઓ માટે સહાયક અને પ્રોત્સાહક છે. તે દ્વારા શાસ્ત્રોનાં સાંકેતિક રહસ્યોનું ભાન થાય છે અને શ્રી મહાવીર પ્રભુનું બોધિતત્ત્વ સત્વર પ્રકાશ પામે છે. તેનો મર્મ વિચારતાં મોક્ષમાર્ગ ઉપર આરૂઢ થયેલો જીવ કશે પણ ભૂલો પડતો નથી. આ શાસ્ત્રનો મહાન ચમત્કાર એ છે કે તેનું લખાણ પ્રાચીન શાસ્ત્રોથી સહેજ પણ વિરોધી નથી, ઊલટું તેમાં રહેલી ખૂબીઓ સમજાવી સતુશાસ્ત્રો પ્રત્યે વાચકના અંતરમાં માન પ્રગટાવે છે. ધર્મનું લોકોત્તર સ્વરૂપ તેનાથી સમજાય છે, વૃત્તિને સન્માર્ગે વાળવાનું તે પ્રબળ સાધન છે અને તેનો બોધ ભવસાગર તરવા માટે અદ્ભુત યાન સમાન છે. જે જીવ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને સબુદ્ધિથી અવલોકશે તે અવશ્ય ધર્મનું માહાભ્ય જાણશે અને ધર્મની સન્મુખ થશે. શ્રીમદે બોધેલ માર્ગનો પરમાર્થ વિચારતાં તે બોધ જીવોના આ ભવ તેમજ પરભવના સાર્થક્યના કારણરૂપ થાય છે, તેથી તેને યથાર્થરૂપે સમજીને જીવે પોતાનું આત્મકલ્યાણ કરવા યોગ્ય છે. તેના તલસ્પર્શી અવગાહનથી મોક્ષમાર્ગનું સાચું હાર્દ પામી શકાય છે. પૂર્વે બાંધેલા ખ્યાલોને છોડી, મધ્યસ્થ ભાવે તેમાં ઊંડા ઊતરી તેના ગંભીર ઉદાર આશય વાંચે-વિચારે તો જીવોને અવશ્ય માર્ગ સૂઝે અને શ્રી મહાવીર ભગવાનના પવિત્ર શાસનનું ગૌરવ હૈયે વસે. શુદ્ધ અધ્યાત્મમાર્ગે પ્રયાણ કરતાં ઉત્તરોત્તર શુદ્ધિ વધવાથી જીવ ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને સ્પર્શતો મોક્ષમાર્ગે આગળ વધતો જાય છે અને આત્મશુદ્ધિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરીને શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે. આ પ્રકારે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અધ્યાત્મના પૂર્ણ વિકાસ માટે મોક્ષમાર્ગનું સંપૂર્ણ રહસ્ય ઉદ્ઘાટિત કર્યું છે, જીવને અધ્યાત્મમાર્ગે લઈ જવા સુંદર ઉપદેશ આપ્યો છે. તેમણે છ પદનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા સમજાવીને મોક્ષમાર્ગની આરાધના કરનારને સુંદર બોધ આપ્યો છે. તેમણે જ્ઞાન અને ક્રિયા ઉભયનું સાફલ્ય દર્શાવ્યું છે. તેમણે આત્માની સત્તાગત શુદ્ધતા કેવી રીતે સાધી શકાય તેની ગૂંથણી આ ગ્રંથમાં કરી છે. સાધક એક પછી એક સોપાન સિદ્ધ કરી પૂર્ણતાને પામે ત્યાં સુધીના સાધનામાર્ગનું ક્રમિક વર્ણન અને તે અંગેનું માર્ગદર્શન તેમાંથી પ્રાપ્ત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy