SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૩ ૧૩૭ ગચ્છના અનુયાયીઓને શુદ્ધ ગુણ પ્રગટી શકે એમ પણ તેને લાગતું નથી. તે અન્ય ગચ્છના અનુયાયીઓની નિંદા કરે છે. તે તેઓ ઉપર જાતજાતના આરોપો મૂકે છે. અન્ય ગચ્છવાળાની નિંદા દ્વારા તે પોતાના ગચ્છની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માંગે છે. તે અન્ય ગચ્છવાળાઓની ત્રુટિઓ જોઈ, શોધી કે ઉપજાવી કાઢી તે ખામીઓની હર્ષ સહિત ઘોષણા કરે છે. તેની વાત કદાચ સાચી પણ હોય, તોપણ તેનો ભાવ તો ખોટો જ છે. સામેવાળાનો દોષ કે દુર્ગુણ હોય કે ન હોય, પણ એ વાતની ઘોષણા તો થઈ જ જાય છે કે તેના મનમાં વૈષનું સામાન્ય વર્તે છે. તેનું વલણ ઝેરમય છે. સામેવાળાના દુર્ગુણની નિંદા કરનાર નિષ્ણાત એક વાત તો સિદ્ધ કરે જ છે કે તેના પોતાનામાં અવગુણ છે. જે અન્યનું સારું જોઈ-બોલી શકતો નથી, તેમના ગુણોને સ્વીકારી શકતો નથી, તેમને માન આપી શકતો નથી; તે જીવનું વલણ એમ જ જાહેર કરે છે કે તે ધર્મને સમજ્યો જ નથી. જે જીવ ધર્મ સન્મુખ થયો હોય, જેના જીવનમાં શાંતિ હોય એ અન્ય ગચ્છ-મતવાળાઓના પણ સાચા ગુણ જોઈ શકે છે, તેમની કદર કરી શકે છે, તેમના વિષે સારું બોલી શકે છે. ધાર્મિક જીવની વૃત્તિ ઉદાર હોય છે, જ્યારે આગ્રહી જીવની વૃત્તિ સંકુચિત હોય છે. મતાંધતાના કારણે જીવ ધર્મઝનૂની બની જાય છે અને તેના ચિત્તની અશુદ્ધિ વધતી જાય છે. તેથી આ ગાથામાં એ જ ઉપદેશ કર્યો છે કે ગચ્છ-મતની કોઈ કલ્પનામાં રોકાઈ જવા જેવું નથી, કારણ કે વેષ, મુહપત્તિ આદિ કોઈ પણ પ્રકારના આગ્રહમાં આત્મકલ્યાણ નથી. આ ગાથામાં શ્રીમદ ગચ્છ-મતના ભેદોની કલ્પના તે સવ્યવહાર નથી એમ ઘણી મૃદુ ભાષામાં જણાવ્યું છે, પરંતુ શ્રી આનંદઘનજી મહારાજે તો ગચ્છના ભેદમાં આગ્રહ ધરાવનારાઓ પ્રત્યે બહુ કડક શબ્દોમાં લખ્યું છે કે – ‘ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે." આ કાળના કદાગ્રહી સાધુઓ વાડાના ભેદમાં આસક્ત થઈ ગયા છે. સાધકનો લક્ષ તો જડ અને ચેતનનું ભેદજ્ઞાન કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો હોવો જોઈએ, પણ તે લક્ષને વિસારી ઉદરભરણાદિ માટે તેઓ ગચ્છના વાડા બાંધી બેસી ગયા છે. તેઓ ધર્મના નામે અનેક પ્રકારના કષાયો કરે છે, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ કષાયપરિણતિમાં એટલા ઊતરી જાય છે કે તેઓ નિષ્પક્ષ રહી શકતા નથી. તેમણે ધર્મને એક પ્રકારનો સંસાર બનાવી દીધો છે. ગચ્છાગ્રહી સાધુઓ અન્ય જીવોને પોતાના ગચ્છમાં ઘસડી જવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના અનુયાયીઓની મોટી સંખ્યા દેખાડવા માટે લોકોને ખેંચીને પોતાના ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી અનંતનાથ ભગવાનનું સ્તવન, કડી ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy