SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી છતાં પણ તેનો નિસ્તાર થયો નહીં, માટે ધર્મક્રિયાઓ આત્માના અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટાવવામાં લેશમાત્ર સહાયક નથી. જો ધર્મક્રિયાઓ મોક્ષપ્રાપ્તિમાં સહાયક થતી હોય તો અભવ્ય જીવો પણ એ ક્રિયાઓ અનંતી વાર કરે છે, છતાં તેમને મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી? પ્રતિક્રમણાદિ નહીં કરનાર મરુદેવી માતા આદિ એકમાત્ર આત્માની શુદ્ધ વિચારણાથી તરી ગયા છે અને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવ સુધી ધર્મક્રિયા કરનારા અભવ્ય જીવો હજી પણ સંસારમાં આથડી રહ્યા છે. આનો ફલિતાર્થ એ છે કે ધર્મક્રિયાના અભાવમાં જીવો મુક્તિ પામ્યા છે અને ધર્મક્રિયા કરવા છતાં હજુ સુધી અનંતા જીવો મોક્ષે ગયા નથી. એથી નિશ્ચિત થાય છે કે ધર્મક્રિયા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં લેશમાત્ર પણ કારણ નથી. જેમ તંતુ(તાંતણા)ના અભાવમાં ઘટ બને છે અને તંતુના સદ્ભાવમાં પણ ઘટ બની શકતો નથી, તેથી ઘટ માટે તંતુ કારણ નથી; તેમ ધર્મક્રિયાના અભાવમાં આત્મસિદ્ધિ થાય તથા ધર્મક્રિયાના સદ્ભાવમાં આત્મસિદ્ધિ ન થાય તો ધર્મક્રિયાને મુક્તિનું કારણ કહેવાય નહીં. આજ સુધી જે જે આત્માઓ મોક્ષે ગયા, વર્તમાનમાં જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જશે; તે સર્વમાંથી એક પણ એવો આત્મા નથી કે જેણે પોતાના શુદ્ધ સ્વરૂપની વિચારણા ન કરી હોય. મોક્ષે જનાર દરેક જીવે આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણાથી જ મુક્તિ પ્રાપ્ત કરી છે, વર્તમાનમાં પણ તેમ જ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ શુદ્ધાત્માની વિચારણાથી જ પ્રાપ્ત કરશે. એથી સિદ્ધ થાય છે કે ધર્મક્રિયાઓ મુક્તિનો માર્ગ નથી, પણ આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા એ જ મુક્તિનો માર્ગ છે. આ દલીલનું સમાધાન આ પ્રમાણે છે - જૈન દર્શનમાં ભાવધર્મની પ્રાપ્તિ બહુ જ દુર્લભ બતાવી છે. અનંત કાળથી આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં આથડી રહ્યો છે, તેનું કારણ છે ભાવધર્મની પ્રાપ્તિનો અભાવ. આ ભાવધર્મ સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ આદિ સ્વરૂપ છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વ આદિ પરિણામસ્વરૂપ છે, પ્રવૃત્તિસ્વરૂપ નથી. જેઓ જિનપૂજા, ગુરુવંદન, વ્રત, પચ્ચકખાણ આદિ કરણી કરી પોતાને સમ્યકત્વી, દેશવિરતિધર કે સર્વવિરતિધર માને છે, તેમની માન્યતા ખોટી છે; કારણ કે જિનપૂજાદિ કરણી સ્વયં સમ્યકત્વાદિ સ્વરૂપ નથી, પરંતુ સમ્યકત્વાદિને લાવનારી કે ટકાવનારી કરણી છે. ભાવધર્મને પામવા માટે કે પામેલા હોય તો તે ટકાવી રાખવા માટે ધર્માનુષ્ઠાનોની આવશ્યકતા રહે છે. એકાંત નિશ્ચયવાદી કહે છે કે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિરૂપ ધર્મ પામવા માટે માત્ર આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા જ કરવી જોઈએ. ધર્મક્રિયાઓ કરવાની કંઈ આવશ્યકતા છે જ નહીં. તેમનું માનવું છે કે ક્રિયા કર્યા વિના ભાવની પ્રાપ્તિ સંભવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy