SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય ‘જૈન' શબ્દ ‘જિન' ઉપરથી આવેલો છે. 'જિન' શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ધાતુ ‘f' અર્થાત્ ‘જીતવું' માંથી થઈ છે. 'જિન' એટલે ‘જીતનાર', અર્થાત્ જેણે પોતાની ઇન્દ્રિયો અને મનને જીતી લીધાં છે તે. વિશાળ અર્થમાં પોતાના રાગ-દ્વેષને વશ કરવામાં જેણે સફળતા મેળવી છે અને પોતાના આત્મા ઉપર જેણે પ્રભુત્વ મેળવી આત્મજય કર્યો છે તે ‘જિન'. આવા 'જિન'ની ઉપાસના કરનાર “જૈન' કહેવાય છે. જૈન દર્શન વાસ્તવવાદી કે બાહ્યાર્થવાદી (realistic) દર્શન છે. નવ તત્ત્વોનું વિવિધ દૃષ્ટિકોણથી નિરૂપણ કરતું હોવાથી તે સાપેક્ષવાદી (relativistic) પણ છે. તે પરમાણુવાદનો પણ સ્વીકાર કરે છે. એકથી વધુ જીવો તથા અનંત ભૌતિક તત્ત્વોને માનતું હોવાથી તે બહુતત્ત્વવાદી (pluralistic) પણ છે. તેનો બહુતત્ત્વવાદ વિજ્ઞાનવાદી નથી, પણ અધ્યાત્મવાદી (spiritualistic) છે. વળી, જૈન દર્શન વેદને પ્રમાણ તરીકે સ્વીકારતું ન હોવાથી તથા જગતના રચયિતા તરીકે ઈશ્વર તત્ત્વને સ્વીકારતું ન હોવાથી તેને અવૈદિક અથવા નાસ્તિક દર્શન (heterodox or atheistic) કહેવામાં આવે છે. જૈન દર્શન વાસ્તવવાદી અને બુદ્ધિગમ્ય છે. તેના મત પ્રમાણે દરેક આત્મા પોતે જ પરમાત્મા છે અને તેને પોતાના પુરુષાર્થ વડે તે પરમાત્મપદ, અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય છે અને તે પ્રાપ્ત કરી શકાય તેમ પણ છે. આત્માની અનંત શક્તિ છે, જે તેણે પોતે જ વિકસાવવાની હોય છે. પ્રત્યેક આત્મા પોતે પૂર્ણ વિકાસને પામે છે ત્યારે તે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. કોઈ ઈશ્વર આત્માને મુક્તિ પ્રદાન કરી શકતો નથી. આત્મા પોતે જ કર્મનો કર્તા છે, ભોક્તા છે અને પોતે જ તેમાંથી મુક્તિ મેળવી શકે તેમ છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક આત્માના પરમ પુરુષાર્થનો પોષક અને શ્રમણ સંસ્કૃતિનો પ્રવર્તક જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કાળચક્રની વર્તમાન અવસર્પિણીમાં જૈન ધર્મના આદ્યપ્રવર્તક તરીકે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવને ગણવામાં આવે છે. ‘તીર્થકર' શબ્દ જૈનોનો પારિભાષિક શબ્દ છે. જે તારે તે “તીર્થ' અને જે ધર્મતીર્થ પ્રવર્તાવે તે તીર્થકર'. સંસારરૂપી સમુદ્ર પાર ઊતરવા ઇચ્છનાર જીવાત્માઓ માટે તીર્થની જે રચના કરે તે તીર્થકર. જે મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy