SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ 444 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભૂલ થવાનાં સ્થાનો બતાવી જીવોને ચેતવ્યા છે. તેમણે જે જે વિષયો લીધા છે, તે તે સંબંધમાં કોઈ પણ જાતના ક્ષોભ કે ભય વગર, હિંમતથી અને સત્યતાથી કથન કર્યું છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે - આત્મસિદ્ધિ ચમત્કારી વસ્તુ છે. બધાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. મોટા મોટા આચાર્ય ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે.’ આ યુગમાં જ્યાં અધ્યાત્મજ્ઞાન તરફ બેદરકારી દાખવવામાં આવે છે, જ્યાં અસગુરુઓનાં અજ્ઞાન સંમોહમૂલક વચનોમાં રાગી બની, બાહ્ય ક્રિયાઓમાં કે શુષ્કજ્ઞાનમાં ધર્મબુદ્ધિ ધારણ કરી તત્ત્વમૂઢ આત્માઓ માર્ગભષ્ટ થાય છે; ત્યાં જિનાગમનાં તત્ત્વને ગ્રંથિત કરીને, સુદેવ-સુગુરુ-સુધર્મનાં અવિસંવાદી સ્વરૂપની ઓળખાણ માટે સન્માર્ગદર્શક એવા સુયોગ્ય ગ્રંથોની ખાસ જરૂર છે. આવા સમયમાં જાગૃતિ લાવનાર ગ્રંથ ખૂબ લાભ કરાવી શકે છે. સમાજમાં જીવનોપયોગી, પ્રેરક, ઉદ્બોધક સાહિત્યની આવશ્યકતા સવિશેષ છે. તેવા ગ્રંથો જીવને અનેક પ્રકારે સન્માર્ગ સમજાવી સત્ય ઉપદેશ આપે છે. શ્રીમનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આવું જ સમાજોપકારક અને શાસનોન્નતિનું કાર્ય કરી એક મોટી ખોટ પૂરી પાડનાર સાધન નીવડ્યું છે. શ્રીમદે તે દ્વારા વર્તમાન વિશ્વ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે એ નિર્વિવાદ છે. શ્રીમદ્ ક્રાંતિકારી યુગપ્રધાન પુરુષ હતા, વિશ્વની મહાન વિભૂતિ હતા. મનુષ્યસમાજ આત્મધર્મને ભૂલી બીજી વસ્તુઓમાં ધર્મની કલ્પના-માન્યતા કરવા લાગ્યો હતો અને તેને સત્ય માર્ગદર્શકની આવશ્યકતા હતી ત્યારે અભુત પ્રભાવશાળી શ્રીમદે લોકોમાં નવ-જાગરણ પ્રગટાવી આ ગ્રંથ દ્વારા આ યુગને એક અલૌકિક દૃષ્ટિ પ્રદાન કરી છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી શ્રીમનું એક ઉત્તમ, પ્રેરણાદાયક, રચનાત્મક કાર્ય છે. વીતરાગ શાસનના હાર્દને સમજાવતા અનેક વિષયો ઉપર તેણે વેધક પ્રકાશ પાથર્યો છે, જેની પ્રસિદ્ધિ ધાર્મિક અંધાધૂંધીમાં સપડાયેલા આજના યુગમાં અતિ આવશ્યક છે. ધર્મસમાજ માટે આ ગ્રંથ દીવાદાંડીની ગરજ સારે છે. શ્રીમદ્જ્ઞા આ પ્રશંસનીય કાર્યથી કહી શકાય કે વીતરાગ શાસનને અક્ષણ રાખવા માટે, તેના ઉદ્ધાર માટે શ્રીમદે જે હૃદયપૂર્વક પરિશ્રમ કર્યો છે તેને ઈતિહાસ ક્યારે પણ નહીં ભૂલી શકે. તેમના અવનિ ઉપરના અવતરણથી સમાજનો અધ્યાત્મમાર્ગ વેગવંતો બન્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધકોના સાધનામાર્ગમાં પ્રેરક અને અનેક ગુણોના આવિર્ભાવનું કારણ થયું છે. તેનું વર્તમાન યુગના ધર્મસમાજમાં અમૂલ્ય માહાભ્ય છે. ખરેખર, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ એ આ અવનિનું અમૃત જ છે. 1- બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy