________________
૫૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અવળી રજૂઆત કરવી), જાતિ (ખોટા પ્રશ્નો ઉઠાવવા) અને નિગ્રહસ્થાન(પોતાને ખોટા પાડનાર મુદ્દાઓનું ભાન)ની કળા જાણવી જોઈએ, કારણ કે જો તે ન જાણવામાં આવે તો જેમાં શ્રદ્ધા છે તેનો બચાવ કરી શકાતો નથી.
બૌદ્ધ અને જૈન પંથીઓએ વૈદિક માર્ગ ઉપર પ્રહાર શરૂ કર્યા હતા. સામાન્ય લોકોમાં આ પંથોએ પ્રવેશ કરવા માંડ્યો હોવાથી તેમની આગળ ડગલે ને પગલે વેદનાં વાક્યો ટાંકવાં નિરર્થક થતાં ગયાં અને તેથી ખાસ વેદનાં જ વચનો ઉપર આધાર રાખીને બેસી ન રહેનારા અને સાંખ્ય-યોગની ગગનચુંબી ભૂમિકાએથી ઊતરી લૌકિક વાણીમાં વાત કરનારા તત્ત્વદર્શનની જરૂર હતી. આ જરૂરિયાત ન્યાય અને વૈશેષિક દર્શને પૂરી પાડી હતી. આમ, ન્યાય દર્શનનો ઉદ્ભવ ચર્ચા અને વિવાદોના વાતાવરણમાં થયો છે અને વિવાદને માટે ન્યાય દર્શને મુદ્દાઓ અને યુક્તિઓની એક આખી પરિભાષા પૂરી પાડી છે.
Jain Education International
***
For Private & Personal Use Only
www.jainelibrary.org