SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ષદર્શનપરિચય ન્યાય દર્શન તત્ત્વજ્ઞાનથી થતો હોવાથી જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એમ નૈયાયિકો માને છે. (V) ઉપસંહાર ન્યાય દર્શનનું મહત્ત્વ તાત્ત્વિક કરતાં તાર્કિક રીતે વધુ છે. વિદ્વાનોના મત અનુસાર સાંખ્ય દર્શન અને વેદાંત દર્શનની તુલનામાં દાર્શનિક દૃષ્ટિએ જોતાં ન્યાય દર્શન કાંઈક ગૌણ સ્થાન મેળવે છે. તત્ત્વવિચારના ક્ષેત્રે તેનું સ્થાન ઓછું મહત્ત્વનું અંકાય છે. ૫૮૫ ન્યાય દર્શન સામે સૌથી વધુ કડક ટીકા થતી હોય તો તેના આત્મા વિષેના ખ્યાલની છે. આત્મા સંબંધી તેનો વિચાર યુક્તિસંગત નથી. તેના મત પ્રમાણે આત્મા ચિત્તૂપ, સ્વયંજ્યોતિ કે જ્ઞાનસ્વરૂપ નથી. તેના મત અનુસાર ચૈતન્ય આત્માનો આકસ્મિક ગુણ છે. આ બાબત પ્રત્યે ટીકાકારોએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. ન્યાય દર્શનના મોક્ષ વિષેના ખ્યાલની પણ કડક આલોચના કરવામાં આવી છે. ન્યાય દર્શનમાં મોક્ષને માત્ર અભાવાત્મક અવસ્થા કહી છે. અંતિમ ધ્યેયની આ માન્યતામાં આત્મા અને જડત્વ વચ્ચેના ભેદનો ગર્ભિત ઇન્કાર છે. મુક્તાવસ્થામાં જો આત્મા સુખ-સંવેદનરહિત થઈ જતો હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે તફાવત શું? મોક્ષનો આ ખ્યાલ ઉત્સાહવર્ધક નથી. ઈશ્વર સંબંધી માન્યતામાં ન્યાય દર્શનમાં કેટલીક વિસંગતિઓ જણાય છે. ન્યાય દર્શનના મોક્ષ તથા ઈશ્વરવિષયક વિચારો એ તેની નબળી કડીઓ છે અને આ નબળી બાજુને ખ્યાલમાં રાખીને જ વેદાંત જેવા પ્રતિસ્પર્ધી દર્શનોએ તેનું ભારપૂર્વક ખંડન કરેલું છે. ન્યાય દર્શનની તત્ત્વમીમાંસા તેની નબળી કડી છે તો તેની પ્રમાણમીમાંસા અને વિવેચન પદ્ધતિ તેનું જમાપાસું છે. તેનાં પ્રમાણવિચાર અને વિવેચનપ્રણાલીના કારણે તે સુપ્રખ્યાત છે. ન્યાય દર્શનના અધ્યયનથી યુક્તિયુક્ત વિચાર કરવાની તથા આલોચના કરવાની શક્તિ વધે છે. આ દર્શન વધુ પડતું તાર્કિક છે એવા આક્ષેપો તેના ઉપર ઘણી દિશાઓમાંથી થતા આવ્યા છે. પરંતુ તર્કોની સહાયતા વિના સિદ્ધાંતો બુદ્ધિગમ્ય બનતા નથી. શાસ્ત્રનિષ્ઠાનો અર્થ બુદ્ધિને અભરાઈએ ચઢાવી દેવી એવો કદી થતો નથી. જો શાસ્ત્રનિષ્ઠાનો અર્થ બુદ્ધિનો ઉપયોગ કરવો નહીં અને માત્ર શાસ્ત્રમાં જે કહ્યું છે તે માનવું જ એવો થતો હોય તો તે માત્ર અંધશ્રદ્ધા જ છે એમ ગણવું જોઈએ. તર્ક, નિર્ણય, વાદ (કથન કરવું), જલ્પ (ઝઘડવું), વિતંડા (ખંડનાત્મક ટીકા), હેત્વાભાસ (ખોટું મધ્યપદ), છલ (પ્રતિસ્પર્ધાને હરાવવા માટે તેના કથનની જાણી-બૂજીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy