SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન શાસ્ત્રોનું અધ્યયન એ શાસ્ત્રાભ્યાસ છે, સ્વાધ્યાય નહીં. વ્યવહારથી ભલે તેને સ્વાધ્યાય કહેવામાં આવે, પરંતુ વાસ્તવમાં તે સ્વાધ્યાય નથી. શાસ્ત્રોનું પઠન તો સરળ છે. કોઈ પણ ભણેલો માણસ શાસ્ત્રાભ્યાસ કરી શકે છે. સ્વાધ્યાય કરવા માટે તો સાધકપણું જોઈએ. પોતાના ભાવોનું અધ્યયન, પોતાના સ્વરૂપ પ્રત્યે બોધપૂર્ણ રહેવું એ સ્વાધ્યાય છે. પ્રવચનો સાંભળવાથી કે શાસ્ત્રોનું પઠન કરવામાત્રથી જ્ઞાયકતત્ત્વનો અનુભવ થતો નથી. આત્મજ્યોતિના સંબંધમાં જે સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તેને કંઠસ્થ કરવા માત્રથી આત્મજ્યોતિને અનુભવવા સમર્થ બની શકાતું નથી. ધર્મ વિષેનું જ્ઞાન શાસ્ત્રમાંથી ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે ધર્મ ઉપલબ્ધ થાય છે સ્વયંના અંતરમાં પ્રવેશ કરવાથી. વાસ્તવિક ધર્મનો સંબંધ સત્યના સિદ્ધાંત સાથે નથી. સત્યની સાધના સાથે છે. આત્માર્થી જીવ સત્યની સાધનાના માર્ગે ચાલી સત્યને જાણે છે, અનુભવે છે; જ્યારે બહિર્દષ્ટિ જીવ સત્ય અંગેના માત્ર વિચારો કરે છે. જગતમાં બન્ને પ્રકારના જીવો જોવા મળે છે. જો એમ કહેવામાં આવે કે પ્રેમ એક જાણવા જેવો પદાર્થ છે; તો તે સાંભળીને કોઈ જઈને પ્રેમની દુનિયામાં કૂદી પડે છે, તો કોઈ પુસ્તકાલયમાં જાય છે અને પ્રેમ વિષેનાં જેટલાં પુસ્તકો હોય તેને વાંચવા બેસી જાય છે. આ બન્ને માટે કહેવાશે તો એમ જ કે તેઓ પ્રેમની ખોજમાં ગયા છે, પરંતુ બન્નેમાં આકાશ-પાતાળનો ફરક છે. બે કાર્ય જુદાં જ થાય છે. એક ‘હું ને વિસર્જિત કરીને આવે છે, બીજો “'ને તગડો બનાવીને આવે છે! જે પ્રેમમાં પડે છે તે એના પ્રિય પાત્રની મહત્તામાં અહંને વિલીન કરી નાખે છે અને જે પ્રેમને પુસ્તકોમાં શોધવા જાય છે તે અહંકારથી પુષ્ટ થાય છે. તે પ્રેમ ઉપર વ્યાખ્યાન આપી શકે, બીજાને પ્રેમનો મહિમા સમજાવી શકે, પણ પ્રેમ શું છે તે પોતે જાણતો પણ હોતો નથી. આ ઉપરથી એમ સમજવાનું નથી કે શાસ્ત્રનો અભ્યાસ નિરર્થક છે. શાસ્ત્રના અભ્યાસની આવશ્યકતા તો છે જ, પરંતુ સત્શાસ્ત્રનું પ્રયોજન હોવા છતાં, તેની મહત્તા હોવા છતાં તેની મર્યાદા પણ છે. તે મર્યાદા પણ જાણવી જરૂરી જ છે. શાસ્ત્ર શું કરી શકે અને શું ન કરી શકે - આ બન્ને પડખાંને યથાતથ્ય જાણવાની-સમજવાની જરૂર છે. શાસ્ત્રોને છોડવાના પણ નથી અને શાસ્ત્રમાં અટકવાનું પણ નથી. જીવે શાસ્ત્રાભ્યાસ કરવા પાછળનું પ્રયોજન યથાર્થપણે સમજી શાસ્ત્રોનું વાંચનમનન કરવા યોગ્ય છે. શાસ્ત્રોમાં આત્માનો મહિમા ગાવામાં આવે છે. જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જે પ્રકારે થઈ શકે તે પ્રકારે યુક્તિ, દૃષ્ટાંતાદિ વડે શાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવે છે. જીવોને સ્વપરભેદજ્ઞાન થાય તે પ્રકારે જીવ-અજીવનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે, પરંતુ જ્યાં સત્પાત્રતાનો અભાવ હોય ત્યાં સતુશાસ્ત્રોનો અભ્યાસ પરલક્ષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy