SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનપરિચય - જૈન દર્શન પ૩૯ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જીવાદિ પદાર્થોનું અને વિશેષ કરીને આત્મહત્ત્વનું સંશય, વિપર્યય અને અનધ્યવસાયરહિત જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન વડે જ આત્મા પોતાનું હિત કે અહિત શામાં રહેલું છે તે જાણી શકે છે. સમ્યજ્ઞાન વડે આત્મા અશુભ કાર્યોથી નિવૃત્ત થાય છે અને શુભ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. સમ્યજ્ઞાન વડે આત્મા વિશુદ્ધ થાય છે અને દર્શન પણ દઢ થાય છે. સમ્યજ્ઞાન વડે જ આત્મા પોતાને જાણી શકે છે અને જે પોતાને જાણે છે તે સર્વ જગતને જાણે છે. જૈન ધર્મમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે - (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. ઇન્દ્રિયો અને મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના નિમિત્તથી તે પદાર્થના વિશેષ જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. શબ્દ દ્વારા અથવા સંકેત દ્વારા જે જ્ઞાન થાય, એટલે કે શાસ્ત્રાભ્યાસથી કે ગુરુ પાસેથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. ઇન્દ્રિયો અને મનના નિમિત્ત વિના અમુક અવધિમાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્કાર કરાવતું જ્ઞાન તે અવધિજ્ઞાન. બીજાનાં મનની પર્યાયોને પ્રત્યક્ષ કરનારું જ્ઞાન તે મનઃપર્યવજ્ઞાન. લોકાલોકનાં રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોની ત્રણે કાળની સર્વ ક્રમબદ્ધ પર્યાયોનું યુગપદ્ જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં જ જીવને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેને તે જ ભવમાં આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૩) સમ્યક્રચારિત્ર – સમ્યફચારિત્ર એટલે રાગ-દ્વેષરહિત થવાના પવિત્ર આચરણોનું અનુષ્ઠાન. મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત સમ્મચારિત્રની આવશ્યકતા છે. ક્રિયાવિહીન જ્ઞાન વ્યર્થ છે અને જ્ઞાનવિહીન ક્રિયા વ્યર્થ છે. સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રના સુયોગ વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે. તપ, ત્યાગ, સંયમ અને શીલરૂપી ચારિત્રનું પાલન કરવા માટે જૈન ધર્મમાં સાધુઓ અને શ્રાવકોના આચારો વિસ્તારપૂર્વક દર્શાવ્યા છે. ગણધર ભગવંતોએ આચારોના સ્વરૂપમાં વ્રતોનો સમાવેશ કર્યો છે. વ્રત એટલે વિચારણાપૂર્વક અમુક આચાર પાળવાનો પવિત્ર નિયમ. વ્રત પાળવાનો હેતુ મન તથા શરીરને સંયમમાં રાખવાનો તેમજ આધ્યાત્મિક માર્ગે જરૂરી એવા ચારિત્રનું ઘડતર કરવાનો છે. સાધુઓને સંપૂર્ણ ત્યાગરૂપી સર્વવિરતિ ચારિત્રનું અને ગૃહસ્થોને આંશિક ત્યાગરૂપી દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું હોય છે. સાધુઓએ પાલન કરવાનાં પાંચ મહાવ્રતો તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. એ પાંચ મહાવ્રતોનું પાલન સાધુઓ જેટલી સૂક્ષ્મતાથી કરી શકે તેટલી સૂક્ષ્મતાથી ગૃહસ્થો કરી શકે નહીં. એટલા માટે ગૃહસ્થ ધર્મને લક્ષમાં રાખી, એ મહાવ્રતોનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy