SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૫ ૧૭૭ જો નિમિત્ત કર્તા બને તો દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નાશ થઈ જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, અન્યથા દ્રવ્યસ્વતંત્રતા - દ્રવ્યનું સ્વરૂપ નષ્ટ થઈ જાય. દરેક દ્રવ્ય પોતામાં જ રહેલું છે. અનાદિ-અનંત એવાં ભિન્ન ભિન્ન દ્રવ્યો પોતાની મર્યાદામાં પરિણમે છે. કોઈ દ્રવ્ય અન્ય દ્વારા પરિણમતું નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કર્તા નથી. અન્યનું કોઈ કદી કર્તા થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. દરેક દ્રવ્યનું કાર્ય સ્વતંત્રપણે થાય છે. કોઈ કોઈને આધીન નથી. અહીં પ્રશ્ન થાય કે જો નિમિત્ત ઉપાદાનમાં કંઈ ન કરતું હોય તો અનુકૂળ નિમિત્તની ઉપસ્થિતિમાં જે પરિણમન જોવા મળે છે, તેવું પરિણમન અનુકૂળ નિમિત્તની અનુપસ્થિતિમાં શા માટે જોવા મળતું નથી? નિમિત્તની ઉપસ્થિતિમાં જ શા માટે જીવના ભાવ બગડે-સુધરે છે? તેનો ઉત્તર એ છે કે કાર્ય નિમિત્તની હાજરીમાં જ થઈ શકે છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત હોય ત્યારે જ ઉપાદાન કાર્ય કરી શકે છે, તે છતાં નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. પરદ્રવ્ય કાંઈ જબરદસ્તથી જીવના ભાવ બગાડી-સુધારી શકતું નથી. ભાવ બગડે કે સુધરે ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત ત્યાં અવશ્ય હાજર હોય છે. તેનું અવલંબન લઈ જીવ સ્વતંત્રપણે પોતાના ભાવ બગાડેસુધારે છે. જો નિમિત્તથી જ ભાવ બગડતા-સુધરતા હોય તો વેશ્યાને જોવાથી બધાને વિકાર થવો જોઈએ તથા મુનિરાજનાં દર્શનથી સર્વને વૈરાગ્ય જાગવો જોઈએ, પણ એવું તો જોવા મળતું નથી. તેથી ફલિત થાય છે કે પરદ્રવ્ય કંઈ કરતું નથી, પરંતુ જીવ જ્યારે તેનું અવલંબન લે છે ત્યારે તે પરદ્રવ્ય નિમિત્તની સંજ્ઞા પામે છે. નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરતું ન હોવા છતાં નિમિત્ત વિના કાર્ય સંપન્ન થતું નથી. જેમ સૂર્યકાંત મણિ સૂર્ય વિના અગ્નિરૂપ પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્તરૂપે ઉપસ્થિત હોય છે; તેમ આત્મા પરદ્રવ્ય વિના રાગાદિરૂપ પરિણમતો નથી, તેના રાગાદિરૂપ પરિણમનમાં પરદ્રવ્યનો સંગ નિમિત્તરૂપે ઉપસ્થિત હોય જ છે. આત્મા નિમિત્તકારણના અભાવમાં ક્યારે પણ પોતાની જાતે રાગદ્વેષરૂપે પરિણમતો નથી. તે રાગરૂપે પરિણમે છે ત્યારે પરદ્રવ્ય નિયમથી નિમિત્ત હોય જ છે. આવો બનેનો પરસ્પર સ્વતંત્ર સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પરદ્રવ્યના સાનિધ્યમાં જ આત્મા વિભાવરૂપે પરિણમન કરે છે એ વાત સ્પષ્ટ છે, તો બીજી બાજુ એ પણ એટલું જ સત્ય છે કે આત્માનું વિભાવરૂપ પરિણમન પરદ્રવ્યને આધીન નથી. પરદ્રવ્ય તો તેમાં નિમિત્તમાત્ર જ છે. તે આત્માને રાગાદિરૂપ પરિણમાવતું નથી. પુદ્ગલકર્મ, ઇન્દ્રિયોના ભોગ, ધન, મકાન, ઘરના માણસો ઇત્યાદિ જીવને રાગ-દ્વેષ કરાવતા નથી. કોઈ પણ પરદ્રવ્ય આત્માને રાગ-દ્વેષ ઉત્પન્ન કરાવતું નથી, કરાવી શકતું નથી. આત્મા પોતે જ મિથ્યાત્વરૂપી મોહમયી મદિરાનું પાન કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy