SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૫ ૨૦૧ સિદ્ધ કર્યું હોય એવી વ્યક્તિને આદર્શ બનાવી, એનું અનુકરણ અને અનુસરણ કરવામાં આવે. અનુકરણ અને અનુસરણ આદર્શ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખવાની ફરજ પાડે છે, કારણ કે જેનું અનુકરણ અને અનુસરણ કરવું હોય તેને નજર સામે રાખ્યા વગર અનુકરણ અને અનુસરણ થઈ શકતું નથી. કુશળ શિલ્પી જેમ આદર્શને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી પોતાની કલાકૃતિ ઘડે છે, તેમ સાધક પણ આદર્શરૂપ પ્રભુને નિરંતર દૃષ્ટિ સન્મુખ રાખી નિજાત્મસ્વરૂપની પૂર્ણ કલાકૃતિ ઘડે છે. આ આત્મા અનાદિ કાળથી પરનો પરિચયી હોવાથી પોતાને પરરૂપ જ માને છે. તેને સ્વરૂપસ્થિત પ્રભુનાં દર્શનથી વિસ્મૃત થયેલા નિજસ્વરૂપનું ભાન થાય છે. જિનસ્વરૂપના ચિંતનથી પોતાના સ્વરૂપની જીવને ઓળખાણ થાય છે. પોતાના સ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છા તેનામાં જાગે છે. આવી તીવ્ર ઇચ્છાના કારણે તે પરપરિણતિમાં ઉદાસીન બની આત્મપરિણતિ તરફ વળે છે. તેથી જ આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે સર્વ સિદ્ધ ભગવંતોને, સિદ્ધત્વથી સાધ્ય એવા દરેક આત્માને પ્રતિજીંદસ્થાનીય તરીકે - આદર્શ તરીકે બિરદાવ્યા છે.' જિનદશા કેવી હોય તે સદ્ગુરુ દ્વારા સમજાતાં જીવને જિન ભગવાન પ્રત્યે અત્યંત મહિમા, બહુમાન, ભક્તિ જાગે છે. જિનદશા ઉપર વિચાર કરવાથી, તેનું અંતરંગ ભાવપૂર્વક ચિંતવન કરવાથી, હું આ જિન ભગવાન જેવો જ અનંતગુણસંપન્ન આત્મા છું' એમ જિન સમાન પોતાની સ્વરૂપ સત્તાને જીવ ઓળખે છે અને તે જિનદશાનો અધિકારી બને છે. આ રીતે ભગવાન પ્રત્યે દૃષ્ટિ કરવાથી ભક્ત થવાય છે અને ભગવાન જેના પ્રત્યે દષ્ટિ કરે છે, તેના પ્રત્યે દષ્ટિ કરવાથી ભગવાન થવાય છે; અર્થાત્ ભગવાન પ્રત્યે દૃષ્ટિ કરવાથી ભક્તિ જાગે છે, ભક્તપણે પ્રગટે છે અને ભગવાન જેના પ્રત્યે અખંડ દષ્ટિ રાખે છે તે પ્રત્યે, એટલે કે શુદ્ધાત્મા પ્રત્યે દૃષ્ટિ કરતાં ભગવાન થવાય છે, શુભ ટળી શુદ્ધતા પ્રગટે છે. આમ, જિનનું સ્વરૂપ વિચારતાં જીવ સ્વસ્વરૂપનું અનુસંધાન કરી તેને પ્રાપ્ત કરે છે. તેથી જ અનંતા જ્ઞાનીઓએ કહ્યું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ ખ્યાતિ', મૂળ ગાથા ૧ની ટીકા __ 'भगवतः सर्वसिद्धान सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छन्दस्थानीयान् ।' સરખાવો : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, વિહરમાન જિન સ્તવન', શ્રી નમિપ્રભ ભગવાનનું સ્તવન, કડી ૭,૮ જિનસમ જિનસમ સત્તા લખી હોજી, તસુ પ્રાગભાવની ઈહ; અંતર અંતર આતમતા લહી હોજી, પર પરિણતિ નિરીહ. પ્રતિઈદે પ્રતિઇદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy