SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવો છે. આમ, સામાન્યજનથી વિજ્જન સુધી સર્વને ઉપયોગી અને આત્મહિતકારી નીવડે એવું દૈવત તેમાં રહેલું છે. આબાલવૃદ્ધ બધાને ઉપયોગી અને ઉપકારી નીવડનારી આ કૃતિ લોકભોગ્ય કેમ થઈ છે તે સંબંધી અમુક મુદ્દાઓ સંક્ષેપમાં વિચારીએ – (૧) લોકપ્રચલિત ગુજરાતી ભાષામાં નિરૂપણ પ્રાચીન કે અર્વાચીન, કોઈ પણ યુગમાં લોકમાન્ય કે લોકપ્રચલિત ભાષામાં લખાયેલી કૃતિ જ લોકકલ્યાણકારી થાય છે. બોલચાલની ભાષામાં - રોજિંદા જીવનની ભાષામાં જીવના મનોભાવ વિશેષ પ્રમાણમાં જોડાઈ શકે છે અને ભાવનું વદન તથા ઊંડાણ વધારે આવી શકે છે. કૃતિની સફળતા માટે આ અત્યંત જરૂરી તત્ત્વ છે. શ્રીમદે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયની ઉપયોગિતા અનુભવીને આ ગ્રંથનું આલેખન સરળ ગુજરાતી ભાષામાં કર્યું છે. આત્મસ્વરૂપવિષયક વિશ્લેષણ જૈન દર્શનમાં જિનાગમો તથા ઉત્તરવર્તી ગ્રંથોમાં થયેલું છે; પરંતુ મૂળ ગ્રંથો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા તેની ટીકા પણ સંસ્કૃત ભાષામાં હોવાથી તે વિદ્વજ્જનભોગ્ય તો બની શકે છે, પરંતુ સામાન્ય જનતા તેનો લાભ લઈ શકતી નથી. ભાષાની કઠિનતાના કારણે સામાન્ય પાઠક તેનું આસ્વાદન કરી શકતો નથી એમ જાણી શ્રીમદે એ ગહન વિષયને સરળ ગુજરાતી લોકભાષામાં ગૂંથી, તેને કાવ્યબદ્ધ કર્યો કે જેથી અલ્પ ક્ષયોપશમવાળા જીવને પદાર્થનો અંશાત્મક બોધ થાય, ધીમે ધીમે ક્ષયોપશમ ખીલે, શ્રુત પ્રત્યે ભક્તિ વધે અને શ્રુતાભ્યાસમાં ઉદ્યમશીલ બની તે શ્રુતસાગરમાં પ્રવેશવા સમર્થ બને. ગુજરાતી ભાષામાં તત્ત્વપ્રધાન કૃતિઓની રચના ત્રણસો વર્ષથી થતી આવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, શ્રી આનંદઘનજી મહારાજ, ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ, શ્રી સમયસુંદરજી મહારાજ વગેરેએ પોતાની ઘણી રચનાઓ ગુજરાતી ભાષામાં કરી છે. શ્રીમદ્ પણ આ ગ્રંથની રચના ગુજરાતી ભાષામાં કરીને એ પરંપરાને અનુસર્યા છે. શ્રીમદ્ભા મત પ્રમાણે તત્ત્વજ્ઞાન જેવો ગહન વિષય સમજવા કે સમજાવવા સંસ્કૃત-પ્રાકૃત ભાષા જ જોઈએ અથવા એ ભાષાઓમાં રચિત ગ્રંથોમાં જ ઉત્તમ પ્રકારનું તત્ત્વજ્ઞાન હોઈ શકે એવું નથી. જે ભાષાથી વાચકો અને શ્રોતાઓ ઉપર તત્કાળ અસર થાય અને તેમને સહજમાં સમજાવી શકાય તે જ ભાષામાં (પછી ભલે તે ભાષા સંસ્કૃત હોય, પ્રાકૃત હોય કે ગુજરાતી હોય) તે પીરસાવું જોઈએ. ભાષા ગુજરાતી હોવાથી તત્ત્વ કંઈ નિગૂઢ રહેવાનું નથી અને સંસ્કૃત-પ્રાકૃત હોવાથી તે કંઈ સવિશેષ વ્યક્ત થવાનું નથી. વળી, જ્યાં ગુજરાતી ભાષા વપરાશમાં હોય ત્યાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy