SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીદ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્દ્યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ નિગ્રંથ જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. આત્મા - - મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.'૧ - આ કાળમાં ગચ્છ-મતના જે ભેદો પડી ગયા છે, નિશ્ચય કે વ્યવહારને માનનારાઓ વચ્ચે જે ભેદ પડી ગયા છે, તેનો નિવેડો જ્ઞાનીપુરુષ જ લાવી શકે એમ છે. જેણે માર્ગ પામવો હોય તેણે પ્રથમ જ્ઞાનીપુરુષને શોધી, તેમના આલંબને માર્ગનો નિર્ધાર કરી, તે સન્માર્ગને આરાધી પોતાનું કલ્યાણ કરવું જોઈએ. જ્ઞાની ધર્માત્માની છત્રછાયામાં રહીને, તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપ રાખીને, સર્વ પ્રકારે ઉદ્યમ કરી માર્ગની આરાધના કરવી જોઈએ. તેમના પ્રત્યે વિનય, બહુમાન, નમ્રતા, ભક્તિ, સર્વાર્પણબુદ્ધિ કરવાં જોઈએ. પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું સાધનામાં ખૂબ મહત્ત્વ છે. સ્વભાવની પ્રાપ્તિ સત્પુરુષના આશ્રયે જ્ઞાયકનું લક્ષ કરવાથી થાય છે. આ તથ્યમાં કદી પણ કોઈ ભેદ હોઈ શકતો જ નથી. Jain Education International સ્વભાવની પ્રાપ્તિ કરવી કંઈ અઘરું કાર્ય નથી. સ્વભાવની પ્રાપ્તિ તો ખીચડી બનાવવા કરતાં પણ સરળ છે. ખીચડી બનાવવા માટે લાકડાં શોધવાં પડે, દાળ-ચોખા ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૮૨ (પત્રાંક-૫૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy