SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૪ દોષો દૂર થાય અને આત્મગુણ પ્રગટે એવો બોધ કરે છે.૧ કોઈને પરભવની શ્રદ્ધા કરાવવી હોય તો દ્રવ્ય(નિત્ય)દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે અને કોઈને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવો હોય તો પર્યાય(અનિત્ય)દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે. દેશ-કાળાદિ જોતાં જો નિત્યતાની દેશના ઉપકારી લાગે તો તેઓ દ્રવ્યાસ્તિક નયનો પ્રધાનપણે ઉપદેશ કરે છે અને જો અનિત્યતાની દેશના ઉપયોગી લાગે તો પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કરે છે. તે તે અપેક્ષાવિશેષને આશ્રયીને તેઓ તેવી તેવી ઉપદેશપદ્ધતિ અંગીકાર કરે છે, કારણ કે ગમે તેમ કરી જીવને નિજસ્વરૂપનો લક્ષ કરાવવો, તેની આત્મત્ક્રાંતિ દૂર કરવી એ જ એક તેમનો મુખ્ય ઉદ્દેશ હોય છે. જુદા જુદા જીવોને ધર્મનું બીજારોપણ જે રીતે થાય એ રીતે તેઓ જુદા જુદા નયથી દેશના આપે છે. સ્થૂળ બુદ્ધિથી વિચારતાં ભેદ લાગે છે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતાં એ દેશના એક પરમાર્થ તરફ જ દોરતી હોવાથી અભિન્ન લાગે છે.૨ ૧૬૩ સર્વ જ્ઞાનીઓનો આશય તો જીવને પરમાર્થમાર્ગ તરફ લાવવાનો જ હોય છે. સર્વનું કહેવું એ જ છે કે મોક્ષમાર્ગ ત્રણે કાળમાં એક જ છે, બે નથી. જે માર્ગે ભગવાન ઋષભદેવ તર્યા છે અને એ જ માર્ગે ભગવાન મહાવીરદેવ તર્યા છે અને એ જ માર્ગે સર્વ મોક્ષગામી જીવ તરશે. શ્રીમદ્ લખે છે કે ‘મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્રગમે ક્રિયાઓ અને સહસ્રગમે ઉપદેશો એ એક જ માર્ગ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૩૪ 'चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः । । ' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, 'આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય', દૃષ્ટિ ૪, કડી ૧૯,૨૦ ‘પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણોજી, ભેદ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન્ન.' લહે જગદીન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy