SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ 3८४ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (I) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું કાવ્યસ્વરૂપ સાહિત્ય શબ્દ સ + હિતથી બનેલો છે. જે લેખન પ્રાણીમાત્ર માટે હિતકર અને પ્રિયકર છે તેને સાહિત્ય કહેવાય છે. સાહિત્ય જીવનને ઉન્નત બનાવવામાં બહુ મોટો ફાળો આપવાની શક્તિ ધરાવે છે. સત્યના કે સૌંદર્યના તત્ત્વનું ઉચિત લેખન કે કથન તે સાહિત્ય. અપૂર્વ અને ભાવનાશાળી આત્માઓની સર્ગશક્તિનો કલાત્મક વાણીરૂપ આવિર્ભાવ તે સાહિત્ય. જ્યારે જ્યારે વિશિષ્ટ અને ઉત્તમ હેતુસર વાણીના ગૌરવાન્વિત સ્વરૂપમાં રસનું કલાયુક્ત અને કલ્પનાયુક્ત વિધાન થાય, સૂક્ષ્મ સંશોધન સિદ્ધાંતનું તાત્વિક નિરૂપણ થાય, ધર્મનીતિના સર્વમાન્ય ઉપદેશો દેવાય ત્યારે ત્યારે સાહિત્યની રચના થઈ એમ સમજવું. - કાવ્યો, નાટકો, સંવાદો, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો એ સર્વ સાહિત્યનાં જુદાં જુદાં અંગ છે, સાહિત્યદેહનાં નિરનિરાળાં સ્વરૂપ છે. પોતાના અનુભવને રજૂ કરવા માટે સાહિત્યનાં બીજાં સ્વરૂપો કરતાં કાવ્યસ્વરૂપનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થતો જોવા મળે છે. ગૂઢ ભાવોની અભિવ્યક્તિમાં ગદ્ય કરતાં પદ્ય વિશેષ અનુરૂપ હોય છે. પદ્યમાં થોડી જગ્યામાં અને થોડા શબ્દોમાં ઘણું અને સુંદર કહી શકાય છે અને પાછું તે ગેય પણ હોય છે, અર્થાત્ મધુર સ્વરે ગાઈને તેનું આસ્વાદન લઈ શકાય એવું હોય છે. ગહન ભાવોને હૃદયસ્થ બનાવવા માટે તે કંઠસ્થ હોવા જરૂરી છે અને કવિતા સહેલાઈથી કંઠસ્થ થઈ શકે છે. એક જ વાત જ્યારે વારંવાર ઉચ્ચારવામાં આવે છે ત્યારે ધીમે ધીમે તેનો ભાવ સ્પષ્ટ થતો જાય છે અને તેમાં એકાગ્રતા કેળવાતી જાય છે; તેથી જે જે પુરુષોએ અનુભવની મસ્તી માણી છે, તેનો લાભ અન્યને મળી શકે તે માટે તેમણે પદો અને કવિતાઓની રચના કરી છે અને તેમાં અનુભવનું નવનીત પીરસ્યું છે. અર્વાચીન દૃષ્ટિની સૌથી નિકટ અને તેથી તેને સૌથી વિશેષ આકર્ષક લાગે એવાં કાવ્યનાં લક્ષણ ‘સાહિત્યદર્પણ'ના કર્તા શ્રી વિશ્વનાથે તથા ‘રસગંગાધરના કર્તા શ્રી જગન્નાથે સંસ્કૃતમાં આપ્યાં છે. શ્રી વિશ્વનાથ કહે છે, “વવાં રસાત્મ ઋાવ્ય' અર્થાત્ રસસમન્વિત વાક્યરચના તે કાવ્ય. પંડિત જગન્નાથ કહે છે, “રમાર્થપ્રતિપાઃ શબ્દઃ વાવ્ય' અર્થાત્ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. આમ, કાવ્ય એટલે સુંદર અર્થની સુંદર શબ્દોમાં અભિવ્યક્તિ. અન્ય જનના હૃદયસંસ્કારને જગાડવા કવિના અંતઃકરણથી વહેતો હૃદયભાવનો પ્રવાહ તે જ ‘રસ', પરહૃદયને ઉદ્બોધવાની જે હૃદયશક્તિ તે કવિનું ‘રસમંદિર' અને એ રસને ત્વરાથી વધારેમાં વધારે પ્રમાણમાં ગ્રહણ ૧- શ્રી વિશ્વનાથ, “સાહિત્યદર્પણ', પૃ.૧૯ ૨- પંડિત જગન્નાથ, ‘રસગંગાધર', પૃ.૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy