SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગુણોના પ્રાધાન્ય અનુસાર સ્થૂળ ભૂતો અનુક્રમે શાંત, ઘોર અને મૂઢ હોય છે. જો સત્ત્વગુણ મુખ્ય હોય તો શાંત, રજોગુણ મુખ્ય હોય તો ઘોર અને તમોગુણ મુખ્ય હોય તો મૂઢ હોય છે. તન્માત્ર અતિ સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ દ્વારા જાણી શકાય એમ નથી, તેનું માત્ર અનુમાન જ શક્ય છે. આ પાંચ તન્માત્રાઓમાંથી ક્રમશઃ પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. શબ્દ તન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થાય છે, સ્પર્શ-શબ્દ તન્માત્રા મળીને વાયુની ઉત્પત્તિ થાય છે, રૂપ તન્માત્રા અને સ્પર્શ-શબ્દ તન્માત્રા વડે અગ્નિની ઉત્પત્તિ થાય છે, રસ તન્માત્રા અને સ્પર્શ-શબ્દ-રૂપ તન્માત્રા વડે જળની ઉત્પત્તિ થાય છે અને ગંધ તન્માત્રા અને સ્પર્શ-શબ્દ-રૂપ-રસ તન્માત્રા મળીને પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. વળી, સર્જનની પ્રક્રિયા કરતાં ઊલટી જ પ્રક્રિયા વિસર્જનની - પ્રલયની છે. પૃથ્વી પાણીમાં, પાણી અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વમાં અને મહત્તત્ત્વ પ્રકૃતિમાં લય પામે છે. આ છે (વ્યુત્ક્રમથી ઊલટી) પ્રતિક્રમની પ્રક્રિયા. સર્જન અને વિસર્જનનું આ ચક્ર અનાદિ-અનંત છે. સાંખ્યમત મુજબ પુરુષ અને પ્રકૃતિનો સંબંધ, સૃષ્ટિનો વિકાસક્રમ તથા તેનાં ૨૫ તત્ત્વોનો વિકાસ નીચેના કોષ્ટક ઉપરથી સ્પષ્ટ થશે – સાંખ્ય અનુસાર સૃષ્ટિવિકાસક્રમ (૧) પુરુષ – (૨) પ્રકૃતિ (પ્રધાન) (૩) મહતું (બુદ્ધિ) (૪) અહંકાર તામસ્ (ભૂતાદિ) સાત્વિક (વૈકારિક) રાજસ્ (તેજસ) (પ-) (૧૦-૧૪) (૧૫) (૧૬-૨૦) તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ મનસ્ કર્મેન્દ્રિય મુખ હાથ જ્ઞાનેન્દ્રિય આંખ કાન નાક જીભ ત્વચા પગ (૨૧-૨૫) મહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી મળદ્વાર જનનેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy