SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૩) એકાંત નિશ્ચયવાદી એવી દલીલ પણ કરે છે કે ભાવ જ જીવોના બંધ-મોક્ષનું કારણ છે તો પછી શરીર દ્વારા થતી બાહ્ય ક્રિયાઓની શી આવશ્યકતા છે? ભાવ શુદ્ધ રાખવાનો જ પ્રયત્ન કરવો, બાહ્ય ક્રિયાઓની આવશ્યકતા નથી. ભાવ શુદ્ધ રાખવાનો જ ઉદ્યમ કરવો જોઈએ, ક્રિયાઓ કરવાથી કોઈ લાભ નથી. તેમના મત પ્રમાણે ખાવાપીવામાં ભક્ષ્યાભર્યાનો વિવેક કે ધર્મક્રિયાઓની કંઈ જરૂર નથી. માત્ર ભાવ શુદ્ધ રાખવાની જરૂર છે. આ દલીલનો ઉત્તર આ પ્રમાણે છે - ભાવ બંધ-મોક્ષનું કારણ હોવાથી ભાવશુદ્ધિને મોક્ષનું અમોઘ કારણ માનવામાં વિરોધ છે જ નહીં. પરંતુ ભાવશુદ્ધિ કાંઈ એકાએક પ્રાપ્ત થઈ જતી નથી. અનાદિ કાળના વિપરીત અભ્યાસના કારણે જે અશુભ સંસ્કારો અંકિત થયેલા છે તે આપોઆપ અને સહેલાઈથી નિર્મૂળ થતા નથી. તેને નિર્મૂળ કરવાનો અભ્યાસ અત્યંત જરૂરી છે. તે માટે મનને શુભ ક્રિયામાં જોડવું ઘટે છે. મનને શુભ ક્રિયામાં જોડવાથી બે કાર્ય થાય છે - અશુભ ભાવમાંથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ. અશુભ સંસ્કારોનું પોષણ ન થાય અને શુભ સંસ્કારોનું રોપણ થાય તે માટે શુભ ક્રિયા ખૂબ ઉપકારી નીવડે છે. વારંવાર અશુભ નિમિત્તોથી દૂર રહેવાનો તથા શુભ નિમિત્તોમાં રહેવાનો અભ્યાસ કરવાથી ભાવશુદ્ધિ થાય છે, માટે શુભક્રિયાત્મક વ્યવહાર અત્યંત આવશ્યક છે. હોમિયોપથીના ડૉક્ટર દર્દના ઇલાજ માટે મીઠી સાકરની ગોળી જેવી દવા આપે છે. હોમિયોપથીમાં દવાઓ એટલે જુદા જુદા પ્રકારનાં ટિચરો. તે ટિંક્યરો દર્દીને સીધાં આપી શકાય નહીં. એટલા માટે તેને ઝીલનાર કોઈ માધ્યમની જરૂર પડે છે. એ માધ્યમ તે જ સાકરની ગોળી. સાકરની ગોળી ટિચરને ઝીલે છે. અહીં મૂલ્ય તો ટિકુચરનું જ છે. સાકરની ગોળી તો માત્ર એક માધ્યમ છે, પણ એના વિના મૂલ્યવાન ટિંકચર ગ્રહણ થઈ શકે તેમ નથી. એ દૃષ્ટિએ સાકરની ગોળીનું પણ મૂલ્ય જરા પણ ઓછું નથી. આમ, મુખ્યતાની દષ્ટિએ ટિંકચર મૂલ્યવાન છે, જ્યારે માધ્યમની દષ્ટિએ સાકર મૂલ્યવાન છે. તેવી રીતે મુખ્યતાની દષ્ટિએ ભાવશુદ્ધિ મૂલ્યવાન છે, જ્યારે માધ્યમની દૃષ્ટિએ શુભ ક્રિયાઓ મૂલ્યવાન છે. ભાવશુદ્ધિની જ પ્રધાનતા છે, પરંતુ તે અર્થે શુભ ક્રિયાઓ આવશ્યક છે. જ્ઞાનીઓ પરિણામોની શુદ્ધિ માટે શુભ ક્રિયાઓનો ઉપદેશ કરે છે. નિશ્ચયના લક્ષપૂર્વક શુભ ક્રિયાઓનો અભ્યાસ કરતાં પરિણામો સુધરે છે. નિશ્ચયષ્ટિપૂર્વકનો સવ્યવહાર સેવતાં, ક્રમે કરીને ભાવશુદ્ધિ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી જ્ઞાનીઓ પરિણામોની શુદ્ધિ માટે શુભ ક્રિયાઓનો ઉપદેશ કરે છે. શુભ ક્રિયાની આવશ્યકતા હોવા છતાં એકાંત નિશ્ચયવાદી જીવ તેનું ખંડન કરવા આવી અનેક દલીલો કરે છે. તેઓ વ્યવહારનયના વિચારોની પૂર્તિ કર્યા વિના, નિશ્ચયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy