SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અટકતા નથી, ભટકતા નથી; જ્યારે શુષ્કજ્ઞાની પરને જાણવામાં ઊલઝી જાય છે, અટકી જાય છે, ભટકી જાય છે. તે પરને જેમ છે તેમ નથી જાણતો. જેમ લોહચુંબક પોતાની ચુંબકીય શક્તિ વડે ફેંકાયેલ લોખંડની દિશા બદલી નાખે છે, તેમ મોહનું ચુંબક શુષ્કજ્ઞાનીના જ્ઞાનની દિશા બદલી નાખે છે. મોહના બળથી જ્ઞાન મિથ્યાજ્ઞાન બની જાય છે. મોહના બળથી જ્ઞાન યથાર્થ નિર્ણય નથી લઈ શકતું. જ્ઞાન કોઈ વસ્તુને જાણવા જાય છે તો મોહ તેને ઇષ્ટ-અનિષ્ટના વિકલ્પો કરાવે છે. શુષ્કજ્ઞાનીનો મોહ તેને પોતાના-પરાયાના ચક્કરમાં નાખી દે છે. શુષ્કજ્ઞાની પોતામાં પોતાપણું સ્થાપિત નથી કરતો, પરને એ પોતાનું માને છે. તે પરવસ્તુ ઉપર માલિકી સ્થાપે છે. જ્ઞાનીને કોઈ પરવસ્તુ પ્રત્યે માલિકી ભાવ નથી વર્તતો. તેમની ચેતના બાહ્યથી અસ્પર્શિત રહેલી હોય છે અને સ્વયંમાં પ્રતિષ્ઠિત હોય છે. શુષ્કજ્ઞાનીને સ્વરૂપની જાગૃતિ નહીં હોવાથી તે પરનો માલિક થવા માંગે છે. જ્ઞાનીને પ્રારબ્ધવશાત્ કદાચ અનેક વસ્તુઓનો સંયોગ હોય, પરંતુ તેમને મૂચ્છનો અભાવ હોય છે. તેઓ પર સંબંધી આકાંક્ષાથી મુક્ત જ રહે છે. શુષ્કજ્ઞાની પાસે વસ્તુ ન હોય તોપણ તત્સંબંધી મૂર્છા અને આકાંક્ષા હોવાથી, વસ્તુનો સંયોગ ન હોવા છતાં પણ તેનો પરિગ્રહ બહોળો ને બહોળો જ રહે છે. તે બોલે છે કે “અનંત કાળ સુધી સમાધિસુખમાં રહી શકે અને સમગ્ર વિશ્વની સમસ્ત પર્યાય એક સમયમાં જાણી શકે એવું અદ્ભુત સામર્થ્ય ધરાવતો હોવા છતાં આત્મા શેકેલો પાપડ ભાંગવાની શક્તિ પણ ધરાવતો નથી! સ્વમાં અનંતું સામર્થ્ય, પણ પરમાં ફેરફાર કરવા અસમર્થ!' આવું બોલવા છતાં અંતરમાં તેને એવી પ્રતીતિ નહીં હોવાથી તે પરવસ્તુ-વ્યક્તિઓનો માલિક થવા ઇચ્છે છે. પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે એવું ભાસ્યું ન હોવાથી તે પરવસ્તુવ્યક્તિઓને તાબે કરવા ઉત્સુક હોય છે. જ્ઞાનીને આત્માની પકડ થઈ હોવાથી પરની પકડ છૂટી ગઈ હોય છે, જ્યારે શુષ્કજ્ઞાનીને અંતરની કોઈ પકડ હોતી નથી. જો આત્માનું યથાર્થ અનુસંધાન થાય તો પરમાં જોડાણ થઈ ન શકે અથવા ટકી પણ ન શકે. જેમ સૂર્યના તાપથી બરફ ઓગળી જાય છે, તેમ આત્મસ્વરૂપના અનુસંધાનના તાપથી અહં-મમબુદ્ધિ તથા વિષયાભિલાષા ઓગળી જાય છે. પરંતુ શુષ્કજ્ઞાનીએ આત્માનો બોધ અંતરના ઊંડાણમાં ઉતાર્યો ન હોવાથી તે પરનો આશ્રય કરે છે, પરમાં સુખાદિ શોધે છે. એક રાજા હતો. તેને એક ભિખારણનો ભેટો થયો. તે બહુ રૂપવાન હતી. રાજાએ તેને પોતાની રાણી બનાવી. પરંતુ ભિખારણની માંગવાની ટેવ હજુ છૂટી ન હતી, એટલે ભોજન વખતે બોલે કે ખાવાનું દેજો, માબાપ!' રાણીપણા સાથે જોડાણ થયું ન હતું, તેથી તેની માંગણવૃત્તિ ચાલુ રહી હતી. એવી રીતે શુષ્કજ્ઞાની જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy