SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૯ ૩૦૭ ત્યાં આત્માની ભ્રાંતિ છે. આત્મામાં દષ્ટિ રહે તો ભ્રાંતિ ટળે. દર્શનમોહ અને ચારિત્રમોહના ઉપશમ કે ક્ષયથી આત્મામાં ઉપયોગ સ્થિર થાય છે એ જ જ્ઞાનીની દશા છે. આત્માનો ઉપયોગ નથી ત્યાં બ્રાંત દશા છે.’ આધ્યાત્મિક ચેતનાનો વિકાસ મોહભાવના વિલય સાથે જોડાયેલો છે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ સાધવા અર્થે મોહભાવથી નિવૃત્ત થવા યોગ્ય છે. મોહભાવ શ્રદ્ધેય નથી, ધ્યેય નથી, આશ્રય કરવા યોગ્ય નથી, ઉપાદેય નથી; જ્યારે જ્ઞાનસ્વભાવ પરમ શ્રદ્ધેય, પરમ ધ્યેય, પરમ આશ્રયભૂત, પરમ ઉપાદેય છે. આત્મસ્વભાવથી વિપરીત એવો મોહભાવ, ચતુર્ગતિમાં ભ્રમણનો હેતુ હોવાથી દુઃખદાયી છે. માત્ર એક શુદ્ધાત્મા જ આનંદદાયી છે. મોહભાવ અધુવ, અનિત્ય, અશરણ, અશુચિ, આકુળતા ઉત્પન્ન કરાવનાર હોવાથી દુ:ખરૂપ છે, દુઃખનું કારણ છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા ધ્રુવ, નિત્ય, શરણભૂત, પવિત્ર, નિરાકુળસ્વભાવી હોવાથી સુખરૂપ છે, સુખનું કારણ છે. જીવના મોહભાવના સંસ્કારો અનાદિ કાળના છે, પ્રગાઢ છે. હિમપર્વત ઉપરથી ગબડતો હિમનો ગોળો જેમ જેમ નીચે આવતો જાય છે, તેમ તેમ તેનો વેગ, તેની ઉગતા અને તેનું કદ વધતાં જાય છે અને તળેટી સુધી પહોંચતાં તો તે ઘણું મોટું નુકસાન સર્જવા સક્ષમ બની જાય છે. એવી જ રીતે જીવ જેમ જેમ મોહમાં લપાતો જાય છે, તેમ તેમ મોહભાવના સંસ્કાર વધુ ને વધુ જલદ બનતા જાય છે. જીવ અનાદિથી તે સંસ્કારોને આધીન થઈ ગયો છે. પરંતુ જીવ ધારે તો તે સંસ્કારોને તોડી શકે છે. તેની ચૈતન્યશક્તિ એટલી પ્રબળ છે કે જો તે જાગી જાય અને દઢ સંકલ્પ કરે તો સંસ્કાર ગમે તેટલા પ્રગાઢ અને જૂના હોય, તોપણ જીવ તેનો નાશ કરી શકે છે. જે જીવ મોહભાવના સંસ્કારોને ક્ષય કે પ્રશાંત કરે છે, તે જીવ જ્ઞાનદશામાં સ્થિત થાય છે; પરંતુ જે જીવ મોહભાવને ક્ષય કે પ્રશાંત કર્યા વિના પોતાને જ્ઞાની માને છે તે જીવ ભ્રાંતિમાં છે. મોહભાવને ક્ષય કે શાંત કરનાર જીવ જ જ્ઞાની છે, બાકી મોહની પ્રબળતા હોવા છતાં પોતાને જ્ઞાની માનનાર શુષ્કજ્ઞાની ભાંતિયુક્ત છે. શુષ્કજ્ઞાની જીવ પોતાને જ્ઞાનીમાં ખપાવે છે. પોતાને આત્મા સિવાય કંઈ ગમતું નથી એમ તે માને-મનાવે છે, પરંતુ વાસ્તવમાં તેને આત્માની રુચિ જ નથી હોતી. તે સ્વાધ્યાય, ચર્ચા આદિ કરે છે, પરંતુ તેની રુચિ તો પરમાં જ પડેલી હોય છે. તે પરથી પોતાની ભિન્નતાની વાતો કરે છે, પરંતુ તેને સ્વનું ભાન નથી હોતું. તે કર્મકૃત અવસ્થામાં જ તાદાભ્ય અનુભવે છે. શુષ્કજ્ઞાનીને સ્વમાં રસ નથી હોતો. તેને તો પરમાં રસ હોય છે, પરને જાણવાનો લોભ હોય છે. જ્ઞાની પણ પરને જાણે છે, પણ તેઓ તેમાં ઊલઝતા નથી, ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy