SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૨૯ ભૂમિકા અર્થ ગાથા ૧૨૮માં શ્રીમદે કહ્યું કે આત્માનાં છે પદમાં છએ દર્શનો સમાઈ જાય છે, તેથી આ છ પદ સર્વ તત્ત્વજ્ઞાનના સારરૂપ છે. આ છ પદ ઉપર વિસ્તારથી વિચાર કરતાં આત્માના સ્વરૂપ વિષે કંઈ પણ શંકા રહેતી નથી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાતાં આત્મભાવનું પ્રગટવું થાય છે અને તેથી સમ્યગ્દર્શનનો ઉદય થાય છે. હવે પ્રસ્તુત ગાથામાં સમ્યકત્વથી વિપરીત એવો મિથ્યાત્વભાવરૂપ રોગ અને તેનો ઉપચાર શ્રીમદ્ પોતાની અદ્ભુત વચનશૈલી દ્વારા દર્શાવે છે. વૈદ્યનું રૂપક યોજી શ્રીમદ્ કહે છે – આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; | ગાથા ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” (૧૨૯) આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્દગુરુ * જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. (૧૨૯) A આત્મભ્રાંતિ એટલે કે મિથ્યાત્વ એ જીવનો સૌથી મોટો રોગ છે. આત્મભાવાર્થ a] ભાંતિ એટલે પોતાના સ્વરૂપ વિષેનો ભમ. પોતાનું સ્વરૂપ ભૂલી પરમાં આત્મબુદ્ધિ કરવી એ આત્મભ્રાંતિ. એના જેવો અન્ય કોઈ મહારોગ નથી. આ રોગ જ સર્વ પ્રકારના દુઃખનું મૂળ છે અને અનાદિ કાળથી જીવ આ રોગથી પીડાય છે. આત્મભ્રાંતિના કારણે જ જીવને સંસારમાં જન્મ-મરણ કરવાં પડે છે. જો કે આત્મભાંતિરૂપ રોગ ભયંકર હોવા છતાં પણ યથાર્થ ઉપાય કરવાથી એ રોગ નિર્મૂળ થઈ શકે છે. જેમ શરીરની વ્યાધિના ઉપચાર માટે નિપુણ વૈદ્યની જરૂર છે, તેમ આ આત્મવ્યાધિના ઉપચાર માટે સદગુરુરૂપ સુજાણ વૈદ્યની જરૂર છે. જીવ જો બિનઅનુભવી અસગુરુનો આશ્રય લે તો આ મિથ્યાત્વરૂપી મહાભયંકર વ્યાધિ વકરે છે, તેથી યથાર્થ નિદાન કરી મિથ્યાત્વરૂપી વ્યાધિ મટાડે અને આત્મનીરોગિતા બક્ષે એવા સદ્ગુરુરૂપ વૈદ્યની શોધ કરવી જોઈએ. આત્મભાંતિરૂપ મહારોગને સંગુરુ સારી રીતે જાણે છે, તેમજ તેનો ઇલાજ પણ તેઓ સારી રીતે જાણે છે, કેમ કે એ વ્યાધિ પૂર્વે તેમને પોતાને પણ હતો અને સદ્ગુરુરૂપી વૈદ્યના આશ્રયે ઇલાજ કરીને જ પોતે સાજા થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy