SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કરવાની તીવ્ર લગની લાગતાં મિથ્યા માન્યતા બદલાય છે અને રુચિપૂર્વક સત્ય સમજણ કરતાં સત્ય વીતરાગી ધર્મની પ્રાપ્તિ થાય છે. આ જીવે છે પદની યથાર્થ સમજણના અભાવે અનંત કાળ સુધી દુ:ખ અનુભવ્યું છે અને જો એ દુ:ખનો અંત લાવવો હોય તો સર્વ પ્રથમ આ જ કાર્ય કરવાનું છે. આત્માનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સમજવા યોગ્ય છે. આ જ આત્મકલ્યાણનો ઉપાય છે. આત્મહિતનો આ જ સરળ અને સાચો ઉપાય છે. જ્ઞાનમાં પોતાના સ્વરૂપની કિંમત આવ્યા વગર ગમે તેટલા ઉપાય કરવામાં આવે તો પણ તે સાર્થક થતા નથી, તેથી સાચી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો જોઈએ. તત્ત્વનો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જો નિર્ણય લેવાનો પુરુષાર્થ કરે તો મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ થાય. જીવ વ્યાપાર આદિ સંસારની પ્રવૃત્તિઓમાં વીર્ય વાપરે છે, પણ આત્માને સમજવામાં વીર્ય લગાવતો નથી. તેને આત્માનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનશક્તિ પ્રગટેલી જ છે, પણ તેને આત્માની દરકાર ન હોવાથી તે આત્માના નિર્ણયમાં ઉપયોગ જોડતો નથી અને વિષય-કષાયમાં જ ઉપયોગ લગાવે છે. જીવે સંસારનાં કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થવું જોઈએ. હૃદયમાંથી સંસારનો રસ ઘટાડી આત્મવિચાર તરફ ઝુકાવ થવો જોઈએ કે ‘મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું છે. દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે. દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે.' જીવે મિથ્યા ભાવોનું સેવન કરી કરીને, અનંત જન્મ ધારણ કરી અનંત કાળ ગુમાવ્યો. હવે તો સાવધાન થઈને છ પદની નિઃશંક સમજણ દ્વારા આત્માનું હિત કરવું જોઈએ, નહીં તો તેને પ્રાપ્ત થયેલ રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. આત્મા કેવો છે તેની સમજણ જીવે અનંત કાળમાં ક્યારે પણ કરી નથી. પૂર્વે આત્માની વાત સાંભળી છે, પણ અંતરમાં તેની રુચિ કરી નથી, તેનો નિર્ણય કર્યો નથી. જો તેનો નિર્ણય કરે તો મુક્તિ થયા વિના રહે નહીં, માટે આ મનુષ્યપણામાં એ જ કરવા જેવું છે. આ અવસર ચૂકવા જેવો નથી. આવો મનુષ્ય અવતાર મળ્યો છે અને જો રુચિપૂર્વક છ પદની સમજણ નહીં કરે તો ક્યારે સમજશે? છ પદની સમજણ કરશે તો આ પરમ દુર્લભ યોગ સફળ થશે. જે જીવ છે પદનો નિઃશંક નિર્ણય કરે છે તેના પરિણામની દિશા, જે પર તરફ હતી તે બદલાઈને સ્વસમ્મુખ થાય છે. છ પદની પ્રતીતિના બળ વડે પર્યાયમાં રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે આત્મસ્વરૂપનો નિર્ણય કર્યો, તેની પર્યાયમાં રાગ-દ્વેષ લાંબો કાળ ટકી શકે એવી લાયકાત રહે જ નહીં એવું સમ્યક્ નિર્ણયનું બળ છે. આત્મસ્વરૂપનો નિશ્ચય સવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે, પરંતુ જેનો નિશ્ચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy