SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદ્ કહે છે – ‘જ્ઞાન તો છે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.' જે જ્ઞાન જીવનમાં પ્રતિબિંબિત થતું નથી તે યથાર્થ જ્ઞાન નથી, કેવળ કહેવા માત્ર જ્ઞાન છે. “શરીર જુદું છે અને હું જુદો છું. માત્ર એટલું કહેવાથી ભેદજ્ઞાન થતું નથી. સદ્દગુરુના ઉપદેશ પ્રમાણે શરીર અને પોતાના આત્મસ્વરૂપમાં દ્રવ્યસ્વતંત્રતાનો યથાર્થ નિશ્ચય હોય અને તેનો પ્રયોગાત્મક અભ્યાસ થતો હોય તો ભેદજ્ઞાન ઘટિત થાય છે. આત્મસ્વરૂપની ચર્ચા સાથે અધ્યાત્મરસની તથારૂપ પરિણતિ થાય તો જ નિજકાર્યની સિદ્ધિ થાય છે. અધ્યાત્મની માત્ર વાતો કરવાથી, ચર્ચા કરવાથી કાંઈ અર્થ સરતો નથી. શાસ્ત્રની ઉધાર લીધેલી વાતોનાં રટણથી, ‘હું શુદ્ધ છું, પૂર્ણ છું, નિત્ય છું, ધ્રુવ છું' એમ બોલવા માત્રથી જીવનું કલ્યાણ થઈ જતું નથી. આત્મકલ્યાણના અર્થે તો તેણે અભ્યાસ દ્વારા શુદ્ધતાનો અનુભવ કરવો ઘટે છે, શાંતિ તત્ત્વનું વેદન કરવું ઘટે છે. જીવે વિદ્વત્તાથી સંતોષાઈ ન જતાં પરિણમનનો પ્રયત્ન કરવો ઘટે છે કે જેથી સંસારસમુદ્રથી પાર થવાય. શ્રીમદે જીવને આત્મલાભ થાય તે અર્થે ઉત્તમ બોધદાન કરી તેને દોષો પ્રત્યે જાગૃત કર્યો છે. શ્રીમદે જે ઉપદેશ કર્યો છે તેના ઉપર જે કોઈ જીવ વિચાર કરશે, આત્મનિરીક્ષણ કરશે, પોતાનો દોષ ઓળખશે, સ્વીકારશે, ઉગ પુરુષાર્થ વડે નિર્મૂળ કરવાના પ્રયત્નો કરશે; તેના જીવનમાં ક્રાંતિ થશે. જીવ શાસ્ત્રજ્ઞાનને આચરણમાં ઉતારવાનો પુરુષાર્થ કરશે, શાસ્ત્રવાંચન દ્વારા આત્માની સમજણ કેળવશે, આત્માનો મહિમા વધારશે તો આત્મામાં લીન થશે. પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માનો આશ્રય એ જ સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. હજારો, લાખો સત્શાસ્ત્રોનાં કથનો એકમાત્ર ચૈતન્યસ્વરૂપ આત્મા તરફ જ ઇશારો છે. શાસ્ત્રરૂપી સમુદ્રનું મંથન કરીને માત્ર એક ચૈતન્યરત્ન જ મેળવી લેવાનું છે. જો જીવ શુષ્ક પંડિતાઈમાં જ ગૂંચાઈ રહે તો તેનો કોઈ પત્તો નહીં ખાય. મુખથી નિશ્ચયનયપ્રધાન વાક્યો બોલનારો, અંતરમાં મોહથી સભર એવો પામર જીવ જ્ઞાનીનો દ્રોહ કરી ભવાટવીમાં રઝળે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – વ્યાસપીઠ પરથી મોટાં મોટાં વ્યાખ્યાનો કરનારા જગતમાં કંઈક પડ્યા છે! ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૭ (ઉપદેશછાયા-૧૨). ૨- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૮, શ્લોક ૫ 'किं मोदसे पण्डितनाममात्रात, शास्त्रेष्वधीती जनरज्जकेषु । तत्किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद् येन भवाब्धिपातः ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy