SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૫ ૧૭૯ પોતાની જ અસાવધાનીના કારણે તે વિકારી ભાવરૂપે પરિણમે એવો જીવ અને કર્મ વચ્ચે સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તે બન્ને વચ્ચે કર્તા-કર્મસંબંધ નથી. જીવે પોતે કરેલા રાગાદિ વિકારી ભાવોનું કર્તૃત્વ કર્મ ઉપર સ્થાપી તે જીવ કાંઈ દોષમુક્ત નથી થઈ શકતો. જગતમાં અધિકાંશ જીવો નિમિત્તાધીન દૃષ્ટિવાળા છે. નિમિત્તાધીન દૃષ્ટિવાળા જીવોની વૃત્તિ સ્વદોષદર્શન તરફ ન જતાં, સદૈવ પરમાં દોષારોપણ કરવાની જ હોય છે. કાર્ય-કારણના યથાર્થ જ્ઞાનનો અભાવ, નિમિત્તકા૨ણોની કાર્યમાં અનુકૂળતા, નિમિત્તોની અનિવાર્ય ઉપસ્થિતિ, નિમિત્ત-નૈમિત્તિક સંબંધોની ઘનિષ્ઠતા, કૃતજ્ઞતા જણાવતી વાણીપ્રવૃત્તિ આદિ કારણોથી અજ્ઞાની જીવને નિમિત્તોમાં કર્તાપણાનો ભ્રમ થાય છે. નિમિત્તને કર્તા માનવાથી તેના પ્રતિ રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. નિમિત્તોમાં કર્તાપણાનો ભ્રમ મટાડવા માટે જીવે નિમિત્તોના અકર્તૃત્વનો સિદ્ધાંત યથાર્થપણે સમજવો જોઈએ અને તેમાં શ્રદ્ધાવાન થવું જોઈએ. વસ્તુસ્વરૂપનું અધ્યયન-મનન-ચિંતન કરવું આવશ્યક છે. આમ કરવાથી જીવને સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનાં સુખ-દુઃખનું, લાભ-હાનિનું કર્તા નથી. આમ, પરદ્રવ્યરૂપ નિમિત્ત સ્વદ્રવ્યરૂપ ઉપાદાનના પરિણમનરૂપ કાર્યમાં અકર્તા છે. તે ઉપાદાનનું કોઈ કાર્ય કરતું નથી. બન્ને દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે. બન્ને વચ્ચે પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ સંબંધને કર્તા-કર્મરૂપે માનવો યોગ્ય નથી. નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિમાત્રથી એને કર્તા માની શકાય નહીં. આના ઉપરથી એમ નક્કી થાય છે કે કાર્યનું નિયામક કારણ ન તો ત્રિકાળી ઉપાદાન છે, ન તો નિમિત્ત છે. નિશ્ચયથી કાર્ય પ્રતિ સાધકતમ કારણ તો તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન જ છે. વસ્તુતઃ તો પર્યાયની તત્સમયની યોગ્યતા જ કાર્યનું નિયામક અને સમર્થ કારણ છે. વિશ્વમાં પ્રત્યેક કાર્ય તે સમયની પર્યાયની યોગ્યતાથી ક્ષણિક ઉપાદાનકારણથી થાય છે. દ્રવ્યમાં જ્યારે જે કાર્ય થાય છે તે તત્સમયની યોગ્યતાથી થાય છે. તે જ વાસ્તવિક કારણ છે. બાહ્ય સામગ્રી તો કાર્યમાં નિમિત્તમાત્ર છે. તાત્પર્ય એ છે કે ઉપાદાનમાં કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા પ્રાપ્ત થતાં તે કાર્યરૂપ પરિણમે છે અને બાહ્ય સામગ્રી તેમાં એ સમયે નિમિત્ત બને છે. આમ, ત્રિકાળી ઉપાદાનકારણ, અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા અને નિમિત્તકારણ આ ચાર કારણ પ્રત્યેક કાર્યમાં એકસાથે એક જ સમયે નિયમથી હોય છે. ઘડાના દષ્ટાંતમાં આ ચાર કારણો ઘટાવતાં જણાય છે કે ઘડો એ કાર્ય છે. પ્રથમ તે માટીરૂપે હતો. માટી પલાળી એટલે માટીનો પિંડ થયો. એ પિંડને ચાકડા પર ચડાવ્યો. પ્રથમ ઘડાનું તળિયું થયું, એટલે કે છત્રક અવસ્થા થઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy