SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૪૮૫ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.' (૯૭) આમ, શિષ્યની છ પદ સંબંધી સર્વ શંકાઓ ટળવાથી તેને પૂર્ણ વિશ્વાસ આવે છે, અંતરમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને તે નિઃસંદેહ થઈ પરમ સંતોષને પામે છે. પપદના પ્રકાશક સદ્ગુરુના ઉપદેશનું યથાર્થ પ્રહણ અને પરિણમન થતાં તેનું અજ્ઞાન દૂર થઈ તેને જ્ઞાનપ્રાપ્તિ થાય છે. તે સદ્ગુરુ સમક્ષ પોતાને થયેલા અનુભવનું વર્ણન કરે છે અને તેનું સર્વ શ્રેય નિષ્કારણ કરૂણાશીલ સગુરુને અર્પે છે. તે પોતાની સાધનાની સિદ્ધિ માટે સદ્ગુરુની કૃપાને જ સર્વોત્તમ નિમિત્ત માને છે. સદ્ગુરુના અનંત ઉપકારોથી તે ગદ્ગદિત થઈ જાય છે અને સદ્દગુરુનો ગુણાનુવાદ જ તેની જીભ ઉપર રમે છે. સગુરુ ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ સુપાત્રતાયુક્ત શિષ્ય જેમના દ્વારા કંઈક પામ્યો છે, તેમની સ્તુતિ-ભક્તિ કર્યા વિના રહી શકતો નથી. તે તેમની ગુણગાથાનું જ વારંવાર ઉચ્ચારણ, તેમની જ ભક્તિ, તેમની સેવામાં જ તે રાચે છે. જ્યારે પરમ ઉપકારીના ઉપકારના સ્મરણથી અંતર નાચી ઊઠે છે, શબ્દની શક્તિ સીમિત લાગે છે ત્યારે વિશેષ કાંઈ ન કહેતાં તે પોતાના દાસત્વ ભાવને પ્રગટ કરે છે. શ્રીમદે પણ શિષ્યમુખે આ જ ભાવો પ્રગટ કર્યા છે. સદ્ગુરુ ભગવાનના અમાપ ઉપકારનો પ્રત્યુપકાર વાળી શકાય એમ નથી એમ જાણતો હોવાથી અદ્ભુત ભક્તિયુક્ત આત્મસમર્પણની ભાવના ભાવતો શિષ્ય સદ્ગુરુ સમીપે પ્રણિપાત કરતાં કેવું ભાવવાહી વચન ઉચ્ચારે તેનું શ્રીમદે અદ્ભુત દર્શન કરાવ્યું છે. તેમાં શિષ્યની અનન્ય ગુરુભક્તિને નિહાળી શકાય છે. તેના શબ્દ શબ્દ સગુરુ પ્રત્યેની ભક્તિ નીતરે છે. સદ્દગુરુનો અગાધ મહિમા દાખવતી આ ચાર ગાથા સગુરુભક્તિનો દિવ્ય પ્રકાશ રેલાવે છે. પરમ કૃતજ્ઞતાપૂર્ણ પોતાની અંતરસંવેદનાને વાચા આપતાં શિષ્ય કહે છે – અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.” (૧૨૪) શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન.” (૧૨૫) આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” (૧૨૬) “ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.” (૧૨૭) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આવી રીતે ભક્તિયોગ સંપૂર્ણપણે સધાયેલો હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy