SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૩૪માં શ્રીમદે કહ્યું કે ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, ભૂમિકા વર્તમાન કાળમાં જે છે અને ભવિષ્યકાળમાં જે થશે, તેમને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા પરમાર્થસાધકરૂપ જે યોગ્ય વ્યવહાર છે, તેમાં દેશ-કાળાદિના કારણે ભેદ હોય, છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પરમાર્થે ભેદ નથી. ગાથા ૧૩૧ થી ૧૩૪માં શ્રીમદે પરમાર્થમાર્ગ નિશ્ચય-વ્યવહારની સંધિવાળો છે એમ બતાવી, નિશ્ચયના એકાંત આગ્રહીને તથા વ્યવહારના એકાંત આગ્રહીને તેમના દોષો બતાવી, એકાંતિક માન્યતામાં જરા પણ કલ્યાણ નથી એવો સદુપદેશ કર્યો. હવે ગાથા ૧૩૫-૧૩૬માં શ્રીમદ્ દર્શાવે છે કે મોક્ષમાર્ગ ઉપાદાન અને નિમિત્તની સંધિવાળો છે, અર્થાત્ બન્નેમાંથી એકને પણ એકાંતે ગ્રહણ કરવામાં આવે તો કલ્યાણ નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બન્ને કારણોની આવશ્યકતા છે. કોઈ પણ એક કારણથી કાર્યની સિદ્ધિ થવી સંભવતી નથી. તેથી બન્નેમાંથી એકનો પણ એકાંતે આગ્રહ રાખવો તે પવિત્ર જિનમતથી વિરૂદ્ધ છે એમ બતાવી, તે માર્ગમાં રહેલાં પતનનાં સ્થાનકો દર્શાવી, તે અંગે ચેતવણી આપતી પરમાર્થગંભીર ઉપાદાન-નિમિત્ત સંબંધી બે ગાથાઓ શ્રીમદે શાસ્ત્રનો ઉપસંહાર કરતી વખતે પરમ કારુણ્યભાવથી પ્રેરિત થઈને આપી છે. ગાથા - ૧૩૫ - પ્રસ્તુત ગાથામાં ઉપાદાનનાં સામર્થ્યનું તથા આત્મસિદ્ધિમાં સહાયક થઈ શકે એવાં નિમિત્તોનું વર્ણન કરતાં શ્રીમદ્ કહે છે ગાથા ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ Jain Education International સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ અર્થ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. (૧૩૫) માંય.' (૧૩૫) સંસારના સર્વ જીવો શક્તિ અપેક્ષાએ સિદ્ધ પરમાત્મા સમાન છે. સિદ્ધ ભાવાર્થ પરમાત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટરૂપે છે, જ્યારે સર્વ જીવમાં તે સર્વ ગુણો શક્તિરૂપે તો છે જ, પણ અપ્રગટ છે. જે જીવ પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરી, તેમાં જ રમણતા કરવાનો પુરુષાર્થ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy