SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દર્શાવી છે તે સપ્રયોજન છે. દયાદિ ગુણો પ્રગટ્યા ન હોય તો તે જીવમાં મુમુક્ષુપણું હોય નહીં અને જે જીવમાં મુમુક્ષુપણું પણ ન હોય તે જીવમાં મુમુક્ષુપણાથી પણ આગળની ભૂમિકા જ્ઞાનીદશા તો કઈ રીતે સંભવે? આ તથ્ય સમજાવવા માટે મુમુક્ષુની ભૂમિકામાં પ્રગટવા જરૂરી એવા સાત ગુણો આ ગાથામાં બતાવ્યા છે. જે સાચો મુમુક્ષુ હોય તેના આત્મામાં આ દયાદિ સાત ગુણો અવશ્ય હોય છે. આ ગુણો વિના સાચું મુમુક્ષુપણું હોઈ શકતું જ નથી. અત્યંત સરળ ભાષામાં મુમુક્ષુનાં લક્ષણો બતાવતી આ ગાથા આત્મદશા માપવા માટે થર્મોમીટર સમાન છે. તે સાધકને પથદર્શન કરાવતી હોવાથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જીવનનું સત્ય માત્ર બહારના આચરણથી કદી પણ પ્રાપ્ત થતું નથી. વિશેષાર્થ માત્ર બહારના આચરણથી કોઈ આધ્યાત્મિક લાભ થતો નથી. માત્ર બાહ્યમાં ફેરફાર કરવાથી નહીં પણ કેન્દ્ર તરફ વળવાના શ્રમથી સત્યની પ્રાપ્તિ થાય છે. અસ્તિત્વના બહારના ઘેરાવામાં અટકી જવાથી સત્યને પામી નથી શકાતું. તે અર્થે અસ્તિત્વના કેન્દ્ર તરફ જવા માટેનો પ્રયત્ન કરવો જરૂરી છે. આંતરિક ચેતનાના કેન્દ્રને ઓળખવાનું છે. એ કેન્દ્ર સ્વયંમાં જ છુપાયેલું છે. અંતર્મુખ દૃષ્ટિ રાખીને સ્વયંમાં શોધવાથી જ એ મળે છે. ધર્મ એ બહારનું પરિવર્તન નથી પણ આંતરિક ક્રાંતિ છે. ધર્મ એટલે પરમ જાગરણ, આમૂલ રૂપાંતરણ, આંતરિક ક્રાંતિ. ધર્મ એટલે પોતાનો વિકાસ એ વિકાસ કે જે બહારની કોઈ પણ ગણતરી ઉપર આધાર રાખતો નથી, પણ જે અંતરમાં જ થાય છે. ધર્મ કોઈ બાહ્ય ક્રિયા નથી. જ્ઞાનનો સંગ્રહ એ પણ ધર્મ નથી. આના ઉપરથી એમ સમજવાનું નથી કે ધર્મારાધના અંતર્ગત ક્રિયાની કે જ્ઞાનની જે બાહ્ય આરાધના કરવામાં આવે છે તેનો અત્રે નિષેધ છે. એ સર્વનું ધર્મારાધનમાં અવશ્ય સ્થાન છે, પણ જો તેમાં જ સંતોષાઈ જવાય, તેને જ ઇતિશ્રી માની લેવાય તો યથાર્થ ધર્મ સધાતો નથી. સ્વરૂપની જાગૃતિ સધાય તો જ યથાર્થ ધર્મ ઘટિત થાય છે. આત્મામાં સ્થાપિત થવું એ ધર્મ છે. આત્મામાં સ્થાપિત થવા અર્થે ચિત્તશુદ્ધિ થવી આવશ્યક છે. અંતરના સત્યનું ઉદ્ઘાટન ચિત્તશુદ્ધિ હોય તો જ શક્ય બને છે. આત્માનો સાક્ષાત્કાર ચિત્તશુદ્ધિ વિના શક્ય જ નથી. ચિત્તની નિર્મળતા વિના, પાત્રતા કેળવ્યા વિના આત્માનુભૂતિ થવી, આત્માનાં સુખ-શાંતિ મળવાં અસંભવિત છે. દયાદિ ગુણોના ગ્રહણથી ચિત્ત નિર્મળ થાય છે, પાત્રતા સુદૃઢ થાય છે. પ્રસ્તુત ગાથામાં શ્રીમદે પાત્રતાને સુદૃઢ કરનારાં દયાદિ લક્ષણો દર્શાવ્યાં છે. શ્રીમદે ગાથા ૩૮માં આત્માર્થીનાં લક્ષણો બતાવ્યાં હતાં તથા ગાથા ૧૦૮માં Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy