SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ એક મૂલ્યાંકન - સમાપન ४८८ રસને માણવા જેમ ચાવવાનો પુરુષાર્થ કરવો આવશ્યક છે, તેમ શ્રીમનાં વચનોનો મધુર અમૃતરસ અવિરતપણે માણવા તેમાં ઊંડા ઊતરવા યોગ્ય છે. જે આત્માર્થી જીવ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ઊંડાણથી અધ્યયન કરશે તે નિશ્ચિતપણે વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાન દ્વારા વાસ્તવિક ધર્મને પામી શકશે. શ્રીમદ્રના વચનની અક્ષરે અક્ષર શ્રદ્ધા કરી, તેમાંથી એક પણ અક્ષરને આઘોપાછો કર્યા વિના; ઓછો, અધિક કે વિપરીત કર્યા વિના શ્રીમની વાતને હૃદયમાં ધારણ કરવામાં આવે, જેમ બતાવ્યું છે તેમ યથાતથ્યપણે અંતરમાં તેનું સ્થાપન કરવામાં આવે તો મોક્ષમાર્ગની સાંગોપાંગ આરાધના થઈ શકે છે. શ્રીમની વાણીને દરેક દષ્ટિબિંદુથી જાણી, ઓળખી, સમજી, તે અનુસાર આરાધના કરવાથી જીવ પ્રભુ-આજ્ઞાનો સાચો ઉપાસક બની આત્મશ્રેયને સાધી શકે છે. કર્મનાં અનંત બંધનોને છેદી નાખનાર, પોતાનું વાસ્તવિક મૂળ શુદ્ધ પરમાત્મા સમાન અનંત ઐશ્વર્યયુક્ત સ્વાધીન સ્વતંત્ર મુક્ત સહજાત્મસ્વરૂપ પમાડનાર અને અનંત સુખ-શાંતિના ધામ એવા મોક્ષપદમાં વિરાજિત કરનાર અમૂલ્ય બોધ શ્રીમદે નિઃસ્પૃહતાથી આપી જગત ઉપર અપાર ઉપકાર કર્યો છે. આ ગ્રંથનો સદુપયોગ પરમાત્મપદાભિલાષી જીવોને પરમાત્મપદની આરાધનામાં, પોતાનો દુર્લભ જોગ સાર્થક કરવામાં, આત્મવિચારણા જગાવવામાં, અધ્યાત્મભાવના ભૂષિત બની બોધિ-સમાધિસુખની પ્રાપ્તિ કરવામાં પ્રબળ સહાયક બને છે. વૈરાગ્યની ભાવનાને વર્ધમાન કરવામાં, સંસારની ભૂલભુલામણીના પ્રસંગોએ આત્મોપયોગને સૂક્ષ્મ બનાવવામાં, પુદ્ગલની આસક્તિ છોડાવવામાં તે મદદગાર બને છે. તે પવિત્ર વચનામૃતો જીવનું સંસારતાપથી રક્ષણ કરે છે. જે કોઈ આ ઉપદેશસુમન ઉપર પોતાના મનરૂપી ભમરને બેસાડીને તેનો મધુર રસ ચૂસશે, તે અવશ્ય આત્માનંદ અનુભવશે. શ્રીમદે આગમાનુકૂલ, વીતરાગી સંતોની પરંપરા અનુસાર વહેવડાવેલી જ્ઞાનધારામાં નિમજ્જન કરી તે અવશ્ય પવિત્ર થશે. શ્રીમદે જિનાગમના અવિરત મંથન દ્વારા કાઢેલ નવનીતરૂપ આ ગ્રંથમાં પરમ પારિણામિક ભાવસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને ધ્યેય બનાવવાની પ્રેરણા આપી છે. તેમણે એક અખંડ અવિનશ્વર ચૈતન્યચમત્કારસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યનો સર્વત્ર અને સર્વથા આશ્રય લેવાનો મહામંત્ર આપ્યો છે. તેમના આ બોધનું પરિણમન કરતાં જીવના ભવચક્રનો અભાવ થશે અને તે અવશ્ય ભવાતીત એવા શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરશે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આરાધના કરતાં જીવ નિશ્ચયે ભવભ્રમણથી છૂટીને જન્મજરા-મરણથી રહિત એવા અખંડ સ્વરૂપરમણતારૂપ મોક્ષને પામશે. તેના અધ્યયન દ્વારા જીવ તત્ત્વનો નિર્ધાર કરી આત્મસિદ્ધિરૂપ નિર્વાણને પામશે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે – ‘સત્ય સમજવાની જેને જિજ્ઞાસા છે, સાચા સ્વાધીન, અખંડ અવ્યાબાધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy