SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૯ ૨૩ તરફડી તરફડીને એ દુ:ખોને તે ફરી ફરી સહન કરતો રહે છે. કોઈ નિપુણ વૈદ્ય જ્યારે રોગનું નિદાન કરે, રોગજન્ય અવસ્થાની, તેનાં કારણોની તથા પૂર્વે તેમાંથી મુક્ત થવા તેણે કરેલા ઉપાયોની નિરર્થકતા સમજાવે ત્યારે તે રોગીને પોતાના રોગની સમજ પડે છે તથા એનો યથાર્થ ઇલાજ કરાવવાની રુચિ પ્રગટે છે. તે ઇલાજ કરાવી દુઃખથી મુક્ત થાય છે. તેમ આત્મભાંતિરૂપ રોગથી પીડિત સંસારી જીવ અનંત દુ:ખોની પરંપરામાંથી મુક્ત થવા માટે જાતજાતના ઉપાય અજમાવે છે, પરંતુ દુઃખ પ્રાપ્ત થવાનું મૂળ કારણ શું છે અને એ શાથી મટી શકે એ યથાર્થપણે સમજતો ન હોવાથી, તેમજ દુઃખ મટાડવા સંબંધી તેના પ્રયત્નો અયથાર્થ હોવાથી તેનું દુ:ખ મટી શકતું નથી. જીવને મહાભાગ્યોદયે સુજાણ સદ્ગુ૨ વૈદ્ય મળે છે ત્યારે તેઓ આત્મભાંતિરૂ૫ રોગનું નિદાન કરે છે. તેનાં લક્ષણો તથા એ આત્મબ્રાંતિરૂપ રોગજન્ય અવસ્થા આદિની તેને સમજણ આપે છે. તે જીવને પોતાના અનાદિ રોગની સમજ પડે છે તથા એનો ઇલાજ કરાવવાની રુચિ જાગે છે. સગુરુકૃપાથી તે દુઃખમુક્તિના સાચા ઉપાયમાં પ્રવૃત્ત થાય છે અને યથાર્થ આરાધના વડે દુ:ખનું મૂળ કારણ એવી આત્મશ્રાંતિ ટળતાં સર્વ દ:ખનો અભાવ થાય છે, સર્વ સુખનું શાશ્વત ધામ એવું શુદ્ધ આત્મપદ પમાય છે. સાંસારિક દુઃખરૂપી દરદમાંથી મુક્ત થવા માટે સદ્ગુરુરૂપી વૈદ્યના આશ્રયે રોગનું નિદાન અને તેનો ઇલાજ થવાં જોઈએ. આત્મબ્રાંતિરૂપ રોગની અમોઘ ચિકિત્સા શ્રીમદે આ ગાથામાં પ્રકાશી છે. તે એક સરળ દૃષ્ટાંત વડે સમજીએ – આધ્યાત્મિક ક્ષેત્રે દરદ વૈદક ક્ષેત્રે પેટનો દુઃખાવો કબજિયાત સંસારપરિભ્રમણ, સંસારદુઃખ આત્મભ્રાંતિ રોગ ચિકિત્સક - વૈદ્ય સદ્ગુ , પથ્ય મગનું પાણી પીવું, મીઠાઈ-ભજીયાં વગેરે ન ખાવાં. ગુરુઆજ્ઞા ૪ ઔષધ હરડે વિચાર અને ધ્યાન | ફળ મળશુદ્ધિ દ્વારા આરોગ્યની પ્રાપ્તિ | મિથ્યાત્વના રેચ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ (૧) રોગ - આત્મભ્રાંતિ આત્મભાંતિ એ જીવનો મૂળ રોગ છે. હું કોણ છું' એનું ભાન ન હોવું એ જ મૂળ રોગ છે. સ્વની બહાર રહેવું એ જ મૂળ રોગ છે, અસ્વાથ્ય છે. પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy