SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અસત્ છે; જે નિત્ય છે, તે જ અનિત્ય છે; જે એક છે, તે જ અનેક છે. એ પ્રમાણે એક જ વસ્તુમાં વસ્તુત્વને ઉપજાવનાર પરસ્પર વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશિત થવું એ અનેકાંત છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મો અપેક્ષાભેદથી અવિરોધ હોઈ શકે છે એમ બતાવનાર સિદ્ધાંત. કોઈ પણ વસ્તુના સ્વરૂપની પૂર્ણતા કોઈ એક ધર્મથી નથી થતી, પરંતુ અનેક ધર્મોથી થાય છે. વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે, તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ધર્મો પણ રહેલા છે. અપેક્ષાભેદથી તેમાં અવિરોધ છે એમ અનેકાંતવાદ સિદ્ધ કરી આપે છે. કોઈ પણ વસ્તુ અંગે જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો તેમાં અનેક ધર્મો (ગુણો) રહેલા છે એમ જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા ધર્મો પણ જણાશે જેમ કે (૧) નિર્બળતા અને સબળતા એ બન્ને પરસ્પર વિરોધી હોવા છતાં એક જ જીવમાં રહેલા હોય છે. (૨) એક જ વ્યક્તિ હોંશિયાર પણ હોય છે અને મૂર્ખ પણ હોય છે. (૩) એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકસાનકારક પણ હોય છે. આમ, પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો રહેલા હોય છે. દરેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનેક ધર્મયુગલોનો પિંડ છે. આ સાંભળીને કોઈને સ્વાભાવિકપણે શંકા થાય કે પ્રકાશ અને અંધકાર એક સ્થળે એકીસાથે કઈ રીતે હોઈ શકે? આ શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ અનેકાંતવાદનો સિદ્ધાંત સમજાવ્યો છે. અનેકાંતવાદ કહે છે કે એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે પરસ્પર વિરોધી ભાસે છે તે ધર્મો વિરોધી છે જ નહીં. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં એકસાથે રહી શકે જ નહીં. પરસ્પર વિરોધી દેખાતા ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. ઉપર્યુક્ત ઉદાહરણો વડે આ વાત સમજીએ (૧) હાથી બળવાન છે કે નિર્બળ? એ પ્રશ્નના ઉત્તરમાં તરત કહેવામાં આવશે કે હાથી બળવાન છે, અર્થાત્ હાથીમાં બળ ધર્મ છે. તે છતાં જમીન ઉપર બળવાન જણાતો હાથી જળમાં નિર્બળ બની જાય છે. પાણીમાં ગયેલા હાથીને જો મગર પકડી લે તો હાથીમાં રહેલ નિર્બળતારૂપ ધર્મ પ્રગટ થઈ જાય છે. આમ, હાથીમાં બન્ને ધર્મો રહેલા છે, જમીનની અપેક્ષાએ બળવાન અને જળની અપેક્ષાએ નિર્બળ. (૨) સંસ્કૃત ભાષાના વિદ્વાનને જ્યારે ખેતીવિષયક પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy