SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪૧ उ४३ મોહક્ષયનો ઉપાય બતાવતાં આચાર્યશ્રી કહે છે કે હે જીવ, તું કોઈ પણ રીતે, મહાકષ્ટ વેઠીને અથવા મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થા. દુનિયાની દરેક પ્રકારની પ્રતિકૂળતા વેઠીને પણ, તેની ઉપેક્ષા કરીને પણ, આત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે તું એક વાર તત્ત્વનો કૌતૂહલી થા. દુનિયાનું લક્ષ છોડીને, તેનાથી વિરક્ત થઈને, તીવ્રતમ કષ્ટ વેઠીને પણ આત્માને જાણવા એક વાર કુતૂહલ કર. એક મુહૂર્ત એટલે કે બે ઘડી પર્વત પરથી છૂટો પડી તારા ચૈતન્યસ્વરૂપને જો. તેને જોતાં જ તારો શરીરાદિનો મોહ છૂટી જશે. જો તું સ્વરૂપસત્તારૂપ ભૂમિકામાં સ્થિર થશે તો પર સાથેનો તારો મોહ તરત છૂટી જશે. તારા વિકારી ભાવ છોડી, સ્વભાવમાં શ્રદ્ધાપૂર્વક લીન થશે તો ઊંધા પુરુષાર્થ વડે તે પરનું જે માલિકીપણું માન્યું છે તે દૂર થશે. ત્રણે કાળની, ત્રણે લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવે તો પણ માત્ર જ્ઞાતાપણે રહીને શરીરનો પાડોશી બનશે તો કેવળજ્ઞાન પ્રગટ થશે અને મોક્ષદશા પામશે.” જીવ દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં અટવાઈ જાય તો તે પોતાના શુદ્ધાત્માનો અનુભવ કદી કરી શકતો નથી. કેટલાક લોકો પુરુષાર્થ કરવાને બદલે પોતાના સંયોગોનો વાંક કાઢ્યા કરે છે. આવા જીવો ક્યારે પણ આગળ વધી શકતા નથી. વ્યવહારમાં પણ અમુક પ્રદેશ સમૃદ્ધ અને અમુક પછાત એવું વિભાજન કરવામાં આવે છે. તેનું કારણ કેટલાક લોકો એમ આપે છે કે એકમાં હવામાન અનુકૂળ છે અને બીજામાં નથી, એકમાં પાણી છે અને બીજો નિર્જળ છે, એકમાં કુદરતનું ધન છે અને બીજામાં પથ્થરો જ છે; એટલે કે વિકાસ અથવા અવિકાસ માટે તેઓ કુદરતને જવાબદાર માને છે. ભૂમિ સારી એટલે માણસો સમૃદ્ધ એવો સિદ્ધાંત બાંધે છે અને પ્રગતિ ન થઈ શકવા માટે ભૂમિ જવાબદાર છે એવું માને છે, પણ તેઓ ભૂલે છે કે એની એ જ ભૂમિ ઉપર ઇતિહાસના જુદા કાળમાં લોકોની પરિસ્થિતિ જુદી હતી. એનો એ જ દેશ અમુક યુગમાં દુનિયાના બધા દેશોમાં પ્રગતિને મોખરે હતો અને બીજા યુગમાં અવિકસિત ગણાવા માંડ્યો. દેશ એનો એ જ, ભૂમિ એની એ જ, હવામાન એનું એ જ - તોપણ અમુક કાળમાં આગળ અને અમુક કાળમાં પાછળ હોય છે, અમુક કાળમાં વિકાસના શિખરે હોય છે અને અમુક કાળમાં માંડ માંડ રસ્તો કાઢે છે. એનો અર્થ એ થયો કે હવામાનનો કે ભૂમિનો દોષ નથી. દેશની પ્રગતિ દેશની ભૂગોળ ઉપર નહીં પણ દેશની પ્રજા ઉપર આધાર રાખે છે. એક જ ભૂગોળ ઉપર જુદા જુદા ઇતિહાસ લખાય છે. સ્થળ સરખું પણ વૃત્તિ જુદી હોય છે. માનવી પુરુષાર્થ કરીને પ્રતિકૂળ હવામાનમાં પણ પ્રગતિ કરી શકે અને આળસ કરીને ઉત્તમ સંજોગોમાં પણ જીવન વેડફી શકે. આ ઉપરથી ફલિત થાય છે કે બાહ્યમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, જીવ જો મોક્ષના ઉપાયમાં પ્રવૃત્ત થાય તો મોક્ષ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. જીવ જો યથાર્થ પુરુષાર્થ કરે તો અવશ્ય મોક્ષ થાય જ. ઘણા જીવો અપૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy